SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઓસાવીને રાખે તો ઉનાળા-ચોમાસા-શિયાળામાં ચાલી શકે. તેમાં જંતુ પડવા ન જોઈએ. બગડવા ન જોઈએ. (3) મેથીની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીરની ભાજી, ફૂદીનો વગેરે તમામ પ્રકારની ભાજી તથા પત્તરવેલના પાન, નાગરવેલના પાન વગેરે ઉનાળા-ચોમાસામાં ચાલે નહીં. હા... ભાજી વગેરેની સુકવણી કરી હોય તો ઉનાળામાં ચાલે. ચોમાસામાં ન ચાલે. નાગરવેલના પાન વિશેષ વિરાધના હોવાથી તથા કામોત્તેજક હોવાથી કયારેય વાપરવા જેવા નથી. એ રીતે કોબીમાં ઘણા પાંદડા હોવાથી તથા પાંદડા-પાંદડા વચ્ચે તેવા જ વર્ણના જીવોનો સંભવ હોવાથી ખાવા યોગ્ય નથી. પાંદડા-પાંદડા સાફ કરો તો પણ ખૂબ જીવોની હિંસા હોવાથી ગાય કરવો. (૪) ટોપરું લીલું-સુકું શિયાળા-ઉનાળામાં વાપરી શકાય, પરંતુ ચોમાસામાં આજે ફોડેલ ટોપરું આજે જ વપરાય. સુકું ટોપરૂં (આખી કાચલી) આજે ફોડેલ આજે ચાલે, જો છીણીને ઘીમાં તળીને રખાય તો તન્યા દિવસથી ૧૫ દિવસ પણ ચાલી શકે. -: સ્વાદયાય :પ્ર-૧: ખાલી જગ્યા પૂરો. (૧) ચલિત રસવાળા પદાર્થોમાં....... તથા.... ઉત્પન્ન થાય છે. (૨) આજનાદેરીના દૂધ ....... છે. (૩) કેરી, પાકીરાયણ... થી માંડીને..... સુધી બંધ સમજવી. (૪) તલ....... અને ૭માં ન ખવાય. (૫) પાકી મીઠાઈનો કાળ ઉનાળામાં..... દિવસ છે. (આ રીતે કોઈ પણ ખાલી જગ્યા પૂછી શકાય.) પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) ચલિત રસ એટલે શું? (૨) ચલિત રસવાળા પદાર્થો શા માટે ન ખવાય? (૩) દૂધ કેટલો સમય ચાલે? (૪) હલવો શા માટે ન ખવાય? (૫) ચુરમાના લાડુ કેવા ચાલે, કેવાન ચાલે? (૬) કેવી છાશ માટે બે રાતનો નિયમ સમજવો? (૭) નાગરવેલના પાન, કોબી, શીંગોડા શા માટે વાપરવા યોગ્ય નથી? (આવા કોઈપણ પ્રશ્નો પૂછી શકાય.) પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) દૂધનો માવો, પેંડા, માવાની બરફી, ગુલાબજાંબુ, રસગુલ્લા, રસમલાઈ, ઘારી વગેરે ચીજોમાં ભણ્ય-અભક્ષ્ય અંગેના મહત્વના મુદ્દા લખો. (૨) કઈ કઈ ચીજો એવી છે કે જે આજે બનાવેલી આજે જ ચાલે. બીજા દિવસે વાસી થવાથી અભક્ષ્ય બની જાય છે. (૩) ચટણીઓ સંબંધમાં ભક્ષ્ય-અભક્ષ્ય અંગેના મહત્ત્વના મુદ્દા લખો. (૪) બજારની મિઠાઈ, સેવ, ગાંઠીયા, બુંદી, ચવાણું, ભેળ વગેરે કોઈ પણ ચીજો ખાવા જેવી નથી, કેમ? (૫) બજારૂ આટા, ખાખરા, બ્રેડ, બિસ્કિટ વગેરે વાપરવા ઉચિત નથી, કેમ? (૬) સંભારો રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy