SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા જ વહેલી સવારે જો દહીંને વલોવીને છાશ બનાવી દેવાય તો તે છાશ પુનઃ બે દિવસ ચાલે. એ છાશ પણ બે રાત્રિ પૂર્ણ થાય તે પહેલા જ દિવસે તેમાંથી છાશના થેપલા બનાવી દેવાય તો તે થેપલા બે દિવસ ચાલે ટુંકમાં દહીં, છાશ કે છાશમાં બનાવેલા થેપલા બન્યાથી બે રાત પસાર કરો તો તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉપજતાં હોઈ અભક્ષ્ય બને છે. વળી આ કાળ વલોણાની છાશનો અથવા સારી રીતે ઝેરીને વલોવીને બનાવેલી છાશનો સમજવો. જે લોકો પુરું મંથન કર્યા વગર ઉતાવળે ઉતાવળે દહીં વલોવી નાખે છે તેવી છાશ ચાલે નહીં. પાણી સાથે દહીંનો અંશે અંશ મળી જવો જોઈએ. બજારના દહીં-છાશ વગેરે ભરોસાપાત્ર ન હોવાથી વાપરવા ઉચિત નથી. નીચેની ચીજો કયારે વપરાય-કયારે નહીં? ખાદ્ય ચીજ શિયાળો ! ઉનાળો | ચોમાસુ ખજૂર ખારેક સૂકા મેવા તલ ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | X | ૪ | તમામ પ્રકારની ભાજી 1 × 1 × 1 × | ૪ | ૪ | ૪ | X | ૪ | x T? તમામ પ્રકારના પાન ગુલાબ વગેરેના ફુલ સૂકી રાયણ, સુકવણી નોંધ : (૧) બદામ, પીસ્તા, ચારોલી, કાજુ, સૂકી દ્રાક્ષ, અખરોટ, જરદાળુ વગેરે સૂકા મેવા ગણાય. તેમાં બદામ શિયાળા-ઉનાળામાં વપરાય છે અને ચોમાસામાં આજે ફોડેલ બદામ આજે ચાલે, બીજે દિવસે અભક્ષ્ય ગણાય છે. જો આજે ફોડેલ બદામ ઘીમાં તળવામાં આવે તો બીજે દિવસે પણ ચાલે. તે બનાવ્યા દિવસથી ૧૫ દિવસ સુધી ચાલે. ઉપધાનમાં તળેલી બદામ એક મહિનો ચાલે. બાકીના સૂકા મેવા શિયાળામાં ચાલે, પરંતુ ઉનાળા-ચોમાસામાં અભક્ષ્ય ગણાય છે. (૨) તલ, તલવટ, તલના લાડુ, રેવડી વગેરે ઉનાળા-ચોમાસામાં ન ચાલે, પરંતુ જો શિયાળામાં (ફાગણ સુધી-તેરસ સુધીમાં) તલ ગરમ પાણીમાં ચૂલે ચડાવીને રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy