SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આટા ન ચાલે, કેમકે તે કેટલા દિવસના છે તેની શું ખબર પડે ? વળી તેમાં સડેલાહલકા દાણા જોયા વિના દળાવેલ હોય તથા અન્ય અભક્ષ્ય ચીજોની ભેળ પણ કરેલ હોય. (૧૭) બજારના પાઉં-બ્રેડ-બિસ્કીટ વગેરે કેટલા દિવસ પહેલા બનેલ છે, તેનો આપણને ખ્યાલ ન હોવાથી અભક્ષ્ય સમજવા. વળી તેમાં સડેલ અને જીવાતો પડેલુ હલકુ ધાન્ય વપરાતુ હોય છે, તેના આટાને પણ લાંબા સમય સુધી પલાળી આથો લાવવામાં આવે છે, વળી તેમાં અન્ય અભક્ષ્ય ચીજોની ભેળ થતી હોવાથી તે વાપરવા બિલકુલ ઉચિત નથી. (૧૮) સંભારો તથા વડી, સેવ, પાપડ, ખેરો, ફરફર, અડદની સેવ, સાળીવડાં, ખીચીયા પાપડ, બીબડાં વગેરે શિયાળા-ઉનાળામાં સૂર્યોદય થયે તેનો લોટ બાંધી બનાવવા અને સૂર્યાસ્ત પહેલા બરોબર સૂકાઈ જવા જોઈએ. નહીંતર વાસી થાય. ઘૂંસવડી સૂકાઈ જાય તે રીતે તડકે મૂકવી. કદાચ ન સૂકાય તો અભક્ષ્ય ન થાય, કેમકે તેમાં છાશ છે. ચોમાસામાં આવી ચીજો બનાવવી, રાખવી કે ખાવી યોગ્ય નથી. કેમકે ચોમાસામાં તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ અને નીલફુગ થવાનો સંભવ ઘણો છે. કદાચ ચોમાસામાં પાપડ રાખવા હોય તો તે અષાઢ-સુદમાં બનાવવા પડે, તેને અવાર-નવાર તડકો દેવો પડે, તેને વારંવાર પ્રમાર્જવાની તથા વારંવાર ફેરવવા-ફેરવવાની બહુ સંભાળ લેવી પડે. વર્તમાન કાળમાં કોઈક જ આવી સંભાળ લેતા હશે. જો સંભાળ ન લેવાય તો નીલફુગ થવાની સંભાવના છે, માટે ચોમાસામાં ન જ વાપરવા શ્રેષ્ઠ છે. ઉપરની ચીજો કારતક સુદ પૂનમ પછી જ બનાવવી અને અષાઢ-સુદ-ચૌદશ પહેલા પતાવી દેવી. તે પછી રાખવી નહીં. સેવ, પાપડ વગેરે બજારમાં તૈયાર મળે છે તે વાપરવા યોગ્ય નથી. પાપડ, વડી ચોમાસામાં અભક્ષ્ય છે, તેમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે. આ રીતે સુકવણી પણ શિયાળા-ઉનાળા રૂપ આઠ માસ ચાલે. ચોમાસામાં ન ચાલે. (૧૯) આર્કા નક્ષત્ર બેસે ત્યારથી કેરી કે તેનો રસ (ચલિત થવાથી) અભક્ષ્ય છે. તથા આ પહેલા પણ ગંધાઈ ગયેલી, સડેલી કે ઊતરી ગયેલી કેરી અભક્ષ્ય જાણવી કિરી આદ્રથી માંડીને કારતક સુદ પૂનમ સુધી (વિશાખા નક્ષત્ર સુધી) બંધ સમજવી.] આ રીતે પાકી રાયણ પણ આ નક્ષત્ર પછી અભક્ષ્ય બને છે. (૨૦) દૂધમાં મેળવણ નાખ્યા પછી દહીં બરાબર જામી જાય ત્યારે તે ચાલે. તે બે રાત પછી અભક્ષ્ય બને છે. માટે બે રાત પુરી થવા દેવી નહીં. બીજી રાત્રિ પૂર્ણ થાય તે રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy