SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બરાબર તન્યા હોય તો પણ અંદરથી નરમ રહી જવાની શકયતા છે. માટે મુઠીયા ભાંગી શેકી પછી ઘી ભેળવે તો બીજે દિવસે પણ ખપે. મુઠિયાના ભુકાને સેકીને કરેલ લાડુ, બરફી, ચુરમુ ચાલે. ખસખસ અભક્ષ્ય હોવાથી તે ચુરમાના લાડુ વગેરેમાં નાખવી નહીં. સડેલું ધાન્ય તથા ખોરા થઈ ગયેલ ઘી-તેલ અભક્ષ્ય છે, માટે તેની બનાવેલ મીઠાઈ વગેરે પણ અભક્ષ્ય જ ગણાય. બજારની મીઠાઈ વગેરે બરાબર બનવાનો સંભવ ઓછો છે, માટે તે બીજા જ દિવસે વાસી સમજવી યોગ્ય છે. વળી વર્તમાનકાળમાં તો બજારની મીઠાઈ વગેરે વાપરવા જ યોગ્ય નથી, કેમકે પાણી અળગણ વપરાયું હોય, ગમે તે વ્યક્તિએ એંઠું કરેલ પાણી કે એંઠા ગ્લાસનો ઉપયોગ થયો હોય, જૂના વધેલા માલને નવા માલમાં ભેળવેલ હોય; લોટ ઘણો જૂનો અને ચાળ્યા વિનાનો વપરાયો હોય, સડેલા ધાન્ય કે જેમાં ઘનેરા, ઈયળ થઈ ગયા હોય તેવા ધાન્ય-લોટનો ઉપયોગ થયો હોય, રાત્રે ઘણો આરંભ કરીને બનાવેલ હોય, અભક્ષ્ય પરદેશી મેંદાનો ઉપયોગ કર્યો હોય, ઘી હલકું ને ખોરું થઈ ગયેલ-બગડી ગયેલ વપરાયું હોય, લોટમાં અન્ય અભક્ષ્ય ચીજોકે રસાયણો વપરાયા હોય વગેરે કારણોસર બજારની મીઠાઈ, સેવ, ગાંઠીયા, બુંદી, ચવાણું, ભેળ વગેરે તમામ ચીજો પ્રાયઃ અભક્ષ્ય છે-વાપરવા માટે અયોગ્ય છે. તથા આરોગ્યને પણ બગાડનાર છે. તથા બજારના શ્રીખંડ, સમોસા, ઈડલી વગેરે તમામ પણ અભક્ષ્ય હોવાનો સંભવ છે, માટે વાપરવા યોગ્ય નથી. (૧૬) આટો જે દિવસે બન્યો હોય તે જ દિવસે ચાન્યો હોય તો તે લોટ તે જ દિવસે અચિત્ત છે. બે ઘડી પછી કારણ પડે સાધુઓ વહોરી શકે. પણ જો દન્યા પછી ચાન્યો ન હોય તો આસો-કાર્તકમાં ૪ દિવસ, માગસર-પોષમાં ૩ દિવસ, મહા-ફાગણમાં ૫ પ્રહર, ચૈત્ર-વૈશાખમાં ૪ પ્રહર, જેઠ-અષાઢમાં ૩ પ્રહર અને શ્રાવણ-ભાદરવામાં પ દિવસ સુધી મિશ્ર (કાંઈક સચિત્ત-કાંઈક અચિત્ત) રહે છે તે પછી અચિત્ત થાય છે. અચિત્ત થયેલો આટો ખોરો થાય કે વર્ણ-ગંધાદિ બદલાય તો અભક્ષ્ય જાણવો. જો તેમાં જીવની ઉત્પત્તિ વિશેષ પ્રમાણમાં જોવામાં આવે તો ચાળીને ય ન ચાલે. ઉપયોગમાં લેતા પહેલા પણ દરેક વખતે ચાળવો જોઈએ. સંચે દળેલ આટો એકદમ ગરમ હોય છે, તે ઠરવા દીધા વિના ડબ્બામાં ભરી દેવાથી બાફ માથી વરાળીયું પાણી છૂટે છે, તેથી તેમાં ગંધ મારે છે અને વહેલા અભક્ષ્ય થાય છે. બને ત્યાં સુધી આટો સામટો દળવોદળાવવો નહીં. બાજરીનો આટો ઘઉં-ચણાના આટાકરતા જલદી ખોરો થાય છે. બજારના Jain Education International For Private & Personal Use On, રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨૫
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy