SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) દળેલો લોટ; તથા ચણા, મમરા, ધાણી, ખાખરા, પઉવા વગેરે શેકેલા ધાન્ય; તથા ચેવડો, મમરા વગેરે વઘારેલા પદાર્થો તથા સેવ, ગાંઠીયા, ફાફડા, કડક પૂરી, કડક ફૂલવડી, ફરસાણ વગેરે તળેલા પદાર્થો તથા મોહનથાળ, બુંદીના લાડુ, મોતીચુર વગેરે પાકી ત્રણ તારી ચાસણીથી બનેલ ઉત્તમ મીઠાઈ તથા રેવડી, શીંગની ચિકી વગેરે ચાસણીમાં બનાવેલ ચીજો – આ બધા પદાર્થો જે દિવસે બનાવ્યા હોય તે દિવસથી માંડીને શિયાળામાં ૩૦ દિવસ સુધી, ઉનાળામાં ૨૦ દિવસ સુધી અને ચોમાસામાં ૧૫ દિવસ સુધી ચાલી શકે. પછી (ચલિત રસવાળા થવાના કારણે) અભક્ષ્ય છે. (ખાખરા વગેરે વેચાતા લવાય છે, તેથી કેટલા દિવસ પહેલા બન્યા છે તેની શું ખબર પડે? ત્યાં ભલ્યા-ભક્ષ્યનો વિવેક જળવાતો નથી. ઘેર જ બનાવવા યોગ્ય અથવા યોગ્ય કાળજી કરનાર જૈન સાધર્મિકને સ્પેશ્યલ ઓર્ડર આપી બનાવવા યોગ્ય છે, જેથી દિવસની નોંધ રહે. આવા સાધર્મિકને વધુ રકમ આપવી સારી, પણ પૈસા બચાવવા વેચાતા લેવા યોગ્ય નથી. ફરસાણમાં ફુલવડી જાડી હોવાથી કડક થતી ન હોવાથી બીજે દિવસે અભક્ષ્ય બને છે.) ઉનાળાના અંતે અને ચોમાસુ શરૂ થાય તે પહેલા બનાવેલ દ્રવ્યનો સમય ચોમાસાની જેમ ૧૫ દિવસ સમજવો. ચોમાસાના અંતે અને શિયાળો શરૂ થાય તે પહેલા બનાવેલ દ્રવ્યનો સમય પણ ચોમાસાની જેમ ૧૫ દિવસ સમજવો. અલબત્ત બનાવ્યાની ઋતુ અને વપરાશની ઋતુ અલગ હોય તો જે ઋતુમાં સમય મર્યાદા ઓછી છે તે મુજબ કરવું. જેથી દોષ લાગવાનો સંભવ જ ન રહે. મીઠાઈ વગેરે પાકીત્રણ તારી ચાસણીથી જો વ્યવસ્થિત બનાવવામાં ન આવે અથવા બનાવવામાં કચાશ રહી જાય તો સમય મર્યાદા કરતાં વહેલા પણ ચલિત રસ વાળી થઈ જવાથી બગડી જાય છે. આવી ચીજો વહેલી અભક્ષ્ય બને છે. આવી ચીજો બીજે જ દિવસે વાસી થવાથી અભક્ષ્ય સમજવી યોગ્ય લાગે છે. આજે રસોઈયા વગેરે ત્રણ તારી ચાસણી કરે છે કે કેમ તે સવાલ છે. વળી બનાવ્યા પછી યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો પણ વહેલા બગડી જવાથી અભક્ષ્ય થઈ જાય છે. જેમ બુંદીના લાડુ બનાવીને તુરત જ ડબ્બામાં ભરી દેવામાં આવે તો વરાળના પાણીના ભેજને કારણે સવાર પડતાં તો લાડવા ઉપર નીલફુગ થઈ જાય. તેમ બને તો તે લાડવાઓ અભક્ષ્ય બની જાય છે. ચુરમાના લાડુ બનાવતાં પૂર્વે જો મુઠિયા સારી રીતે તળીને બનાવ્યા ન હોય તો અંદર પાણીનો અંશ રહી જવાથી તેના બનાવેલા લાડુ બીજે દિવસે વાસી ગણાય. વિજ્ઞાન - ૨૪ - WWW.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy