SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે ન ચાલે. પણ જો લીંબુનો રસ નાખ્યો હોય અને પાણી કે લોટ નાખ્યા વિના વાટેલી હોય તો તે ત્રણ દિવસ સુધી ચાલે છે. ચટણી બનાવતાં કોથમીર, મરચાં પાણીથી ધોયાં હોય તો તે પાણી ચટણીમાં રહી જવાથી તે ચટણી બીજે દિવસે અભક્ષ્ય બને છે. આંબલીની ચટણી બીજે દિવસે અભક્ષ્ય છે. (૧૦) લોટ, મેથી કે પાણી નાખીને બનાવેલ સંભારો બીજે દિવસે વાસી ગણાય છે. (૧૧) ચોખાની કણકી સાથે અડદની દાળ તથા ચણાની કે તુવેરની દાળને ભરડી છાશમાં આથો કરી ખાટા ઢોકળાં બનાવાય છે. જો કાચી છાશ હોય તો દ્વિદળ થવાથી અભક્ષ્ય બને છે. જો ઊકાળેલી છાશનો આથો રાત્રે કર્યો હોય તો પણ તે અભક્ષ્ય બને છે. માટે સૂર્યોદય પછી બરાબર રીતે એકદમ ઊકાળેલી છાશમાં આથીને કરેલા ઢોકળાં સાંજ સુધી ચાલે છે. (૧૨) કેળા, દ્રાક્ષ, ખારેક વગેરે અન્નના મિશ્રણ વગરના રાયતાનો કાળ ૧૬ પ્રહર (બે રાત સુધીનો) છે. જો તે રાયતુ દ્વિદળ (કઠોળ) સાથે વાપરવાનું હોય તો દહીં એકદમ ગરમ કરેલ હોવું જોઈએ. કળી (સેવો), ગાંઠીયા, બુંદી વગેરે નાખીને રાયતું કરવું હોય તો પહેલા દહીં બરાબર ગરમ કરવું પડે, પછી કળી વગેરે નાખીને રાયતુ બનાવાય. આવું રાયતું સાંજ સુધી જ ભક્ષ્ય છે. (એક વાત ધ્યાનમાં રાખો - રાત્રિભોજન તે અભક્ષ્ય ભોજન છે.) (૧૩) જુવારના લોટને છાશમાં રાંધવામાં આવે છે. તેમાં ધાન્ય થોડું અને છાશ ઘણી હોય તો તે જુગલીરાબ કહેવાય છે. તે ૧૨ પ્રહર સુધી ચાલે. જો છાશ ઓછી અને ધાન્ય વધુ હોય તો તે ઘેંશ કહેવાય છે. તે ૮પ્રહર સુધી ચાલે. તેનો મતલબ એ નહીં કે તે રાત્રે ખવાય. કેમકે રાત્રિભોજન એ અભક્ષ્ય ભોજન છે. મહાપાપ છે. (એક દિવસના ૪ પ્રહર અને દિવસ-રાતના ૮ પ્રહર થાય છે.) (૧૪) બરફના ગોળા ઉપર છાંટવામાં આવતાં શરબતના એસેન્સ અને કાચી ચાસણીના ભરી રાખવામાં આવતાં લીંબુના રસ વગેરે તમામ પદાર્થો અભક્ષ્ય છે. માટે ન ખવાય. - જે પદાર્થોમાં પાણીનો અંશ હોય છે તે બીજે દિવસે વાસી બને છે. આ વાસી પદાર્થો ચલિત રસ વાળા હોવાથી અભક્ષ્ય છે. કોઈપણ ખાદ્ય પદાર્થ કદાચ સવાર સુધી ચાલે તેમ હોય તો પણ તે સૂર્યાસ્ત પછી ખવાય નહીં, કેમકે ભક્ષ્ય ચીજ પણ રાત્રે ખાવામાં અભક્ષ્ય છે. રાત્રિભોજન એ મહાપાપ છે, તે વાત રાત્રિભોજનના પાઠમાં વિચારી લીધેલ છે. રસોડાનું તત્વજ્ઞાન - ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy