SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કાયુ રહે છે, તેથી તે બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય બને છે. (૩) દૂધની મલાઈ રાત રહેવા માત્રથી વાસી થાય છે. તેથી દૂધની મલાઈ રોજ રોજ ભેગીકરીને, પછી તેને તાવીને ઘી બનાવાય તે યોગ્ય નથી. જો આજની મલાઈમાં સાંજે મેળવણ નાંખેલ હોય, તો તે મલાઈ બે રાત પછી અભક્ષ્ય બને છે. તેથી બીજી રાત પસાર થાય તે પહેલા-સૂર્યોદય પહેલા ભાંગવું જોઈએ. સારાંશ એ કે મેળવણ વિનાની મલાઈ રખાય જ નહીં. (૪) સવારે દોહેલ દૂધ ચાર પહોર સુધી જ ભક્ષ્ય છે. (ચાર પ્રહરઃલગભગ બાર કલાક) જો સાંજે દૂધ દોહયું હોય તો તેનો ઉપયોગ મધ્યરાત્રિઅગાઉ થઈ જવો જોઈએ. (જોકે રાત્રે દૂધ પીવાય નહીં. રાત્રિભોજનનું મહાપાપ લાગે.) આજનાફેરીના પાવડરીયા કે કોથળીના દૂધ તો અભક્ષ્ય અને આરોગ્ય માટે ખતરનાક છે. માટે વધુ રૂપિયા ખર્ચીને પણ શુદ્ધ દૂધના આગ્રહી બનવું જોઈએ. દૂધ ફાટી જાય કે બગડી જાય તો તે અભક્ષ્ય છે. (૧૦ દિવસ સુધી વીઆયેલી ગાયનું દૂધ, ૧૫ દિવસ સુધી વીઆયેલી ભેંસનું દૂધ, અને ૮ દિવસ સુધી વીઆયેલી બકરીનું દૂધ વપરાય નહીં તથા તરત વીઆયેલી ગાયભેંસના તરતના દૂધની બળી બનાવાય છે તે પણ વપરાય નહીં.). (૫) દૂધપાક, ખીર, દૂધની મલાઈ, બાસુંદી, શ્રીખંડ, ફુટસલાડ, દૂધીનો હલવો, ચીકુનો હલવો, અમ્રતી જે દિવસે બનાવ્યા હોય તે જ દિવસે ચાલે. બીજે દિવસે વાસી ગણાય છે, માટે ન ખવાય. (૬) જલેબીનો આથો બનાવવાની જે રીત છે, તે જીવોની ઉત્પત્તિનો હેતુ છે. માટે તે અભક્ષ્ય ગણાય છે તેથી ન ખવાય. જ્યારે અમ્રતી બનાવવામાં આથો કરવો પડતો નથી, તેથી તે જે દિવસે બનાવી હોય તે દિવસે ચાલે. બીજે દિવસે અભક્ષ્ય બને છે. (૭) લીલો-સૂકો હલવો ઘઉંના લોટને ૨-૩ દિવસ સડાવીને બનાવાય છે. સડેલા લોટમાં ત્રસજંતુઓ ઉત્પન્ન થતાં હોય છે, માટે તે અભક્ષ્ય છે. ખંભાતનું હલવાસન પણ અભક્ષ્ય ગણાય છે, માટે ન ખવાય. (૮) શેકેલો પાપડ જે દિવસે શકયો હોય તે જ દિવસે ચાલે. તેમાં ખાર હોવાના કારણે તે હવામાંથી ભેજ પકડે છે, માટે બીજે દિવસે વાસી બને છે. તેલ કે ઘીમાં તળેલો પાપડ બીજે દિવસે વાપરી શકાય છે. જો હવાઈ જાય તો ન ચાલે. (૯) જો ચટણી વાટતાં પાણી નાખ્યું હોય અથવા મેથી, દાળિયા, ચણાનો લોટ વગેરે કાંઈ અનાજ ભેળવ્યું હોય તો તે ચટણી બીજે દિવસે વાસી બને છે. માટે બીજે રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy