SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ-૩: અથાણાં વગેરે ન જ વાપરવા શ્રેષ્ઠ આજકાલ અથાણાં સંબંધમાં જોઈએ તેવી કાળજી લેવાતી નથી, માટે ન જ વાપરવા તે શ્રેષ્ઠ છે. જો વાપરવા હોય તો તે સંબંધી બધી જ કાળજી લેવી જોઈએ. નીચેની બાબતો બરાબર લક્ષમાં લો: (૧) કેરી, લીંબુ વગેરેની સાથે નહીં ભેળવેલા ગુવાર, ગુંદા, ડાળાં, ચીભડાં, મરચા વગેરેના અથાણાં ખટાશ વિનાના અથાણાં હોવાથી જે દિવસે બનાવ્યા હોય તે જ દિવસે ચાલે. બીજે દિવસે અભક્ષ્ય છે. (૨) ખાટા ફળોનું અથવા ખાટા રસમાં બનાવેલ અથાણું (તડકા દીધા ન હોય તેવું) ત્રણ દિવસ સુધી ચાલે છે. તે પછી અભક્ષ્ય બને છે. (૩) કેરી, ગંદા, ખારેક, મરચાં વગેરેનું સુકવેલું અથાણું બનાવવામાં આવે છે. તે પણ જો બરાબર તડકા દેવાયા ન હોય, અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય તો તેવું અથાણું પણ ત્રણ દિવસ સુધી જ ચાલે. પછી અભક્ષ્ય બને છે. (૪) જે અથાણાંમાં મેથી વગેરે ધાન્ય, ચણા વગેરેનો લોટ કે દાળીયા ભેળવેલ હોય અથવા પાણી નાખ્યું હોય કે પાણી રહી ગયું હોય તે બધા અથાણાં બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય બને છે. (૫) કેરી, મરચાં, ગુંદા વગેરેમાં મીઠું ભેળવીને તેને તડકે મૂકવામાં આવે છે. તડકાથી ધીરે ધીરે પાણી સુકાતું જાય છે. આ તડકા “ત્રણ જ દિવસ આપવાના" એવું નથી. જ્યાં સુધી કેરી, મરચાં, ગુંદા વગેરે સૂકાઈને કડક બંગડી જેવા ન થાય ત્યાં સુધી ત્રણ, પાંચ, સાત કે વધુ દિવસ પણ તડકા આપવા પડે. તે પછી તેની ઉપર ગોળ, રાઈ વગેરે ચડાવીને સરસવના તેલમાં ડૂબાડૂબ ડૂબાડવામાં આવે છે. આવા વ્યવસ્થિત બનાવેલ અથાણાં તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે બદલાય નહીં ત્યાં સુધી અલબત્ત વરસ સુધી પણ ચાલી શકે છે. જો સરસવનું તેલ ઓછું નાખ્યું હોય તો વહેલા બગડી જવાનો સંભવ છે. માટે તેલ વધુ નાખવું. (૬) તડકામાં કેરીનો છુંદો વગેરે પણ બનાવાય છે. તેમાં કેરીની છીણમાંથી ખાટું પાણી કાઢી નાખીને છીણ સાથે મીઠું તથા સાકર ભેળવીને તડકે મૂકવામાં આવે છે. જેમ જેમ તડકા થતાં જાય તેમ તેમ ચાસણી કડક થતી જાય છે, અને પાણી સુકાતું રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy