SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળવા મળ્યું છે કે ડૉકટરો મેજર ઓપરેશન રાત્રે કરતાં નથી. કેમકે રાત્રે ઉત્પન્ન થતાં હજારો સૂક્ષ્મ કીટાણુઓ ઓપરેશનના ભાગ ઉપર બાઝી જાય છે, તેથી મેજર ઓપરેશન નિષ્ફળ જાય છે. જુદા જુદા અનેક પ્રકારના જંતુઓ એવા હોય છે કે તેઓ સૂર્યની હાજરીમાં તેના તાપના કારણે બહાર નીકળી શકતા નથી. સૂર્યાસ્ત થયા બાદ તેઓ ચારેકોર ઊડાઊડ કરે છે. ઘણા જંતુઓ તો એટલા બધા નાના હોય છે કે તેઓ લાઈટના પ્રકાશમાં પણ નજરે ચડતાં નથી. ઘણી વખત ટ્યૂબલાઈટ પાસે થોડી વારમાં જ હજારો નાના નાના જીવડાઓનો ઢગ થઈ જાય છે. આ સ્થિતિ સ્પષ્ટ હોય તો રાત્રિભોજન કઈ રીતે થઈ શકે? - રાત્રે તૈયાર કરેલી તાજી રસોઈ ઉપર પણ હજારો સૂક્ષ્મ કીટાણુઓ અડ્ડો જમાવી દે છે, માટે ભોજન સૂર્યની હાજરીમાં જ પતાવી દેવું સારું. સૂર્યનો અસ્ત થયા પછીનું ભોજન એટલે હજારો જીવોનો સંહાર. આવું રાત્રિભોજન કરનાર માટે યોગશાસ્ત્રમાં મૂઢ, પશુ, રાક્ષસ જેવા શબ્દો વાપર્યા છે. શું થાય રાત્રિભોજન? રાત્રિભોજન સંબંધમાં ચાર બાબતો ધ્યાનમાં લેવા જેવી છે : (૧) દિવસે બનાવેલું રાત્રે ન ખવાય. (૨) રાત્રે બનાવેલું રાત્રે ન ખવાય. (૩) રાત્રે બનાવેલું દિવસે પણ ન ખવાય. (૪) દિવસે બનાવેલું દિવસે ખવાય. રાત્રિભોજનના ત્યાગીએ દિવસે પણ અંધારામાં કે ગાઢ વાદળોથી છવાયેલા અંધકારમાં ન ખવાય. વધુ શું કહેવું? એક સઝાયમાં કહ્યું છે: રાત્રિભોજનના દોષ ઘણા રે, શો કહીએ વિસ્તાર; કે વલી કહેતાં પાર ન આવે, પૂરવ કૌડી મૌઝાર રે; પ્રાણી ! રાત્રિભોજન મત કરો રે. રાત્રિભોજનના જે કટુ ફળો છે, તેનું વર્ણન કેવલ-જ્ઞાની ભગવાન આખી જીંદગી કહ્યા કરે તો પણ પાર ન આવે, માટે રાત્રિભોજન કોઈપણ સંજોગોમાં કરવું હિતાવહ નથી. રાત્રિભોજનનો ત્યાગ કરવાથી શરીરના આરોગ્યને અને મનની પ્રસન્નતાને તો ખૂબ ખૂબ લાભ થાય જ છે, સાથે સાથે આત્માની દૃષ્ટિએ પણ ઘણા લાભ મળે છે. મુંબઈ જેવા શહેરોમાં પણ ઘણા શ્રીમંતો એવા છે કે જેઓ રાત્રિભોજન કદાપિ કરતાં નથી. સાંજે સૂર્યાસ્ત પહેલા જ ઘેરથી આવેલા ટીફીનથી ચલાવી લે છે. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy