SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભપાતની કાયદેસરતાના પાપે આજે હજારો કુંવારી સ્ત્રીઓએ નિર્ભય બનીને પોતાની જીંદગી બરબાદ કરી નાખી. અપવિત્રતાનું પાપ અને પછી ગર્ભ રહે ત્યારે ગર્ભહત્યાનું પાપ ! વસતિ ઘટાડો આમ ન થાય, આવા નુસખાઓથી વસતિ ભવાડો થાય. કોણ સમજાવે આ અબુધ સરકારને ! વસતિ ઘટાડો કરવો હોય તો પ્રજાને સંસ્કારી અને પવિત્ર બનાવો. તે માટે સેક્સી-ગંદા સિનેમાઓ અને વિડિયો કેસેટોના તોફાનો બંધ કરાવો. યુવાન-યુવતીઓની ભેગી કોલેજો બંધ કરી જુદી વ્યવસ્થા કરો. બાકી અપવિત્રતા અને ગર્ભપાત એ બે મહાભયાનક પાપો ભારતની સમગ્ર પ્રજાને ભરખી જશે માટુંગાની એક સત્ય ઘટના. એક સાસુ પોતાની વહુને લઈને ગર્ભપાત ક્લિનિકમાં આવ્યા. ગર્ભ સાત માસનો થઈ ગયો હતો. ડોક્ટરે જલદ દવાઓ ઠોકી, પણ ગર્ભ ન પડ્યો. છેવટે વહુનું પેટ ચીરવું પડ્યું. પેટ ચીરીને ગર્ભને બહાર કાઢવામાં આવ્યો, ત્યારે ગર્ભ ભયંકર તરફડીયા મારતો હતો. ડોક્ટરે આયાને કહ્યું, “આને સાતમા માળેથી નીચે ફેંકી દે.” અભણ ગરીબ આયાએ કહ્યું, “સાહેબ! ગર્ભમાં જીવ છે. મારો રામના પાડે છે.'' તરત જ ડોક્ટરે ગર્ભને ઉપાડીને પછાડ્યું. ગર્ભ મરી ગયો. પછી ડોક્ટરે કહ્યું, “લે, હવે ફેંકી દે." શું આ વિદ્યા છે ! શું આ શિક્ષણ છે ! આવી શાળાઓમાં અને હોસ્પિટલોમાં દાન આપવું એ પાપ નહીં, પણ મહાપાપ છે ! હવે તો ગર્ભના વેપારો પણ શરૂ થયા છે. ગર્ભના બચ્ચાની કીડની, હાર્ટ વગેરેમાંથી દવાઓ પણ બનવા માંડી છે. આ જ્યાં જઈને અટકશે? અમદાવાદની એક સત્ય ઘટના. એક બહેનના ગર્ભનું બાળક અત્યંત રોગિષ્ટ હતું. નર્સે ગર્ભપાત કરાવી દેવાની સલાહ આપી. ત્યારે ધાર્મિક ભાવનાવાળા ઘરના સૌએ કહ્યું, “ના, જૈનધર્મ મારવાની ના પાડે છે. મારવાનું કામ માણસ કદી કરે નહીં. મારવાનું કામ તો શેતાન કરે.' છેવટે રોગિષ્ટ બાળકીનો જન્મ થયો. તે જીવી ત્યાં સુધી નવકાર, નવસ્મરણ વગેરે રોજ સંભળાવવા દ્વારા, શત્રુંજયની જાત્રા કરાવવા દ્વારા, દરેક સાધુઓના-આચાર્યોના દર્શન કરાવવા દ્વારા અને વાસક્ષેપ કરાવવા હાર ખુબ ધર્મ કરાવ્યો. ઘરના સૌનો એક જ વિચાર કે આ બેબલીના જીવે પૂર્વજન્મમાં ખૂબ પાપકર્યા હશે, ત્યારે જ આવી જમી ને? હવે જો ધર્મ કરાવવા દ્વારા પ્રચંડ પુણ્ય બંધાવી આપીએ તો તેના પછીના ભવો સારા જાય. કદાચ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સીમંધરસ્વામી પાસે દીક્ષા લઈ કર્મ ખપાવી મોક્ષે જાય! સાજી સારી પેટમાં રહેલી દીકરીઓને મારી નાખનારા રાક્ષસોથી આ ધરતી ઊભરાવા લાગી છે, ત્યારે આ પ્રસંગ એક લપડાક સમાન છે. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy