SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શાળાએ ભણવા માટે જવું, ઘરની રસોઈ બનાવવી, છૂટથી હરવું-ફરવું બધું જ છૂટથી ચાલે છે. આજે માનસિક ઉપાધિઓ ખૂબ વધી છે, શારીરિક રોગો વધ્યા છે, ધંધાકીય અસ્થિરતાઓ સર્જાય છે, માનસિક ગંદા વિચારો ઉદ્દભવ છે, આ બધાના મૂળમાં M.C. નું અપાલન પણ સંભવિત છે. M.C. વખતે સ્ત્રીના શરીરમાંથી જે રશ્મિઓ છૂટતી હોય છે, તે સર્વત્ર વિપરીત અસરો ઊભી કરે છે. આજે આ વાતને વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે. જો તમારા ઘરમાં M.C. વાળી બહેન ખુદ રસોઈ બનાવતી હોય અને ઘરના નાના-મોટા બધા જ તે રસોઈ જમતાં હોય તો આ બાબત હદ વટાવી જાય છે. તમને કોઈ બચાવી ન શકે. તમારે ત્યાં ભાવિકેવા અનર્થો સર્જાશે, તે તો જ્ઞાનીઓને જ પૂછવું પડે. તે કરતાં પડોશીઓ સાથે મળીને અરસ-પરસ તે દિવસોમાં રસોઈ બનાવવા માટે સહાયભૂત થવાની વ્યવસ્થા ગોઠવો. અરે ! ઘણાં ઘરોમાં તો ભાઈઓ રસોઈ બનાવે છે. તેમ કરીને પણ આખા કુટુંબને અનર્થ અને ભયાનક પાપમાંથી બચાવવાનું સત્કાર્ય થાય છે. ખાખરા-થેપલાથી ચલાવી લેવું, જૈન ભોજનશાળામાં જમી લેવું, સાધારણ ઘરના જૈન બહેનને ત્યાંથી ટીફીન મંગાવી લેવું, વગેરે રીતે પણ બચી શકાય છે. બચવું છે, તેના માટે રસ્તા છે. પણ બચવાની પડી જ નથી. તેને કોણ બચાવી શકે? M.C. નું અપાલન એ એવું મોટું પાપ છે કે ઘોર પશ્ચાત્તાપ પૂર્વક તેનું સદ્ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત કરીને નવેસરથી ઘરમાં તેની સખ્તાઈથી પાલન શરૂ કરી દેવું જોઈએ. જેના ઘરમાં M.C. નું પાલન બરાબર થાય છે, તેના ઘરના અન્ય સભ્યોને પ્રભુપૂજા કરવામાં કોઈ જ બાધ નથી. કદાચ અડઅડા થતી હોય તો પણ સ્નાન પછી તુરત પૂજાના વસ્ત્રો પહેરીને કોઈને પણ અડ્યા વિના પૂજા કરી શકાય છે. આખા ઘરને પૂજાત્યાગની સજા ફટકારવી કેટલી ઉચિત ગણાય ! પૂજાના વસ્ત્રો તથા ખાન બાદ શરીર લુછવાનો ટુવાલ વગેરે અલગ રાખવા. તે બધાને અડંઅડાન થાય તેટલી સંભાળ રાખો તો પૂજા કરવામાં વાંધો નથી. આજની કોલેજિયન અને જમાનાવાદનો ભોગ બનેલી બહેનોએ સંસ્કૃતિ-ધર્મના આ બંધનોનો ભોગ લીધો છે. આવી બહેનો સમજતી નથી, કે તમે તમારા ઘરને પડતીની ખીણમાં નાખી રહી છો. લગ્ન પહેલા છોકરીની પસંદગીમાં આવી બધી ચીજોનો પણ પાકો ખ્યાલ રાખવાની ખાનદાન કુટુંબોને જરૂર છે. M.C. વાળી બહેનોથી અન્ય સાથે વાતચીત કરવાથી માંડીને સંસારના કે ધર્મના કોઈ પણ કાર્યો ન થાય. સૌ સ્વજનોના અને પોતાના ભલા માટે ત્રણ દિવસ માટે સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only તત્વજ્ઞાન - ૯૯ www. sainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy