SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અલિપ્ત બનીને મૌન સાથે સમય પસાર કરવો જોઈએ. M.C. વાળી સ્ત્રી જો દેરાસરમાં જાય કે તીર્થજાત્રા કરવા જાય તો નરકમાં જવું પડે છે. M.C. વાળી કમલા નામની રાણીએ પ્રભુને વાંદીને ફૂલ ચડાવ્યા, તો તે એક લાખ ભવ સુધી રખડી. M.C. વાળી સ્ત્રી પોતાનું એંઠું ભોજન જો ઢોર વગેરેને ખવડાવે તો બાર ભવ સુધી ભટકે, જો પોતાના હાથે સાધુને વહોરાવે તો લાખ ભવ સુધી રખડે, જો પતિ સાથે વિષયસુખ ભોગવે તો નવ લાખ ભવ સુધી રખડે. અલબત્ત તેટલા ભવો સુધી દુગર્તિઓ અને ભયાનક દુઃખો પામે છે. શાસ્ત્રકારોએ M.C. વાળી સ્ત્રીનું મુખ જોવામાં એક આયંબિલનું અને તેની સાથે વાત કરવામાં પાંચ આયંબિલનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. જે સ્ત્રીઓ M.C. ના સમયમાં છૂટથી ફરે છે અને ઘરમાં રસોઈ બનાવી બધાને જમાડે છે, આવી નિષ્ઠુર પરિણતિ વાળી સ્ત્રીઓ અને ઘરના સભ્યોના માથે કેટલું મોટું પાપ હશે ! શ્રી શુક્લ યજુર્વેદમાં કહ્યું છે કે, તથા વિનત્રયં ત્યવત્વા ગુન્દ્રા સ્યાદ્ ગૃહનિ I M.C. વાળી સ્ત્રી ત્રણ દિવસ થયા બાદ જ ઘરના કામ કરવા માટે શુદ્ધ થાય છે. જે ઘરમાં બહેનો-માતાઓ વગેરેને M.C. વગેરેના બંધનો ફાવતાં નથી, તેનો ભંગ કરે છે, તેઓ પતિ-સંતાનો વગેરે સ્વજનોના દ્વેષી છે. તેઓ ધર્મ-સંસ્કૃતિના હત્યારા છે. જે બહેનો-માતાઓ સૌના ભલા માટે આવા બંધનોનું બરાબર પાલન કરે છે, તેઓ ધન્યવાદને પાત્ર છે. તેમના ઘરની ઉન્નતિ ખૂબ જ થાય છે. આજે આખા વિશ્વમાં એઈડ્સ નામનો ભયાનક રોગ મહાકાળ બનીને ત્રાટક્યો છે. આજે વિશ્વમાં એઈડ્સના દર્દીઓ ૫૦ લાખથી પણ વધુ છે. અને બે કરોડ જેટલા લોકો તો એવા છે, કે જેમના શરીરમાં એઈડ્સના વાયરસ (એચ.આઈ.વી.) ઘૂસી ગયા છે. રોજની નવી નવી ૫,૦૦૦ વ્યક્તિઓને એઈડ્સનો ચેપ લાગી રહ્યો છે. સંસ્કૃતિ-ધર્મના બંધનો હતા અને આયુર્વેદ વિજ્ઞાન અહીં હતું ત્યાં સુધી આવા દર્દીને ભારતમાં પ્રવેશ ન હતો, પરંતુ ધર્મ-સંસ્કૃતિના બંધનો ફગાવીને ભોગમાં પાગલ થવાથી ભારત પણ એઈડ્રેસની બિમારીનું એક વિનાશક કેન્દ્ર બની રહ્યું છે. આજે ભારતમાં ૧૦ લાખથી પણ વધુ એઈડ્સના દર્દીઓ છે અને એચ.આઈ.વી. વાયરસનો ચેપ લાગેલા ૫૦ લાખથી પણ વધુ છે. રક્તદાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, સજાતીય-વિજાતીય સેકસી સંબંધો તથા જંતુયુત સાધનો વગેરે દ્વારા આ રોગોનો ફેલાવો થાય છે. રસોડાનું તત્ત્વજ્ઞાન Jain Education International For Private & Personal Use Only ૧૦૦ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy