SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરમાં એક પણ વ્યક્તિ રાત્રે ખાતું જ ન હોય, ઘરની એક પણ વ્યક્તિ હોટલનું કે લારી પરનું ભોજન આરોગતું ન હોય, ઘરની એક પણ વ્યક્તિ બજારૂ બિસ્કીટ, બ્રેડ, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરે કંઈ પણ મોંમા મૂકતું ન હોય, ખાવા-પીવાના, ભઠ્યાભક્યના તમામ નીતિ-નિયમો તમારે ત્યાં જડબેસલાક પળાતા હોય, ઘરમાંથી ટી.વી. સેટ દૂર કરવામાં આવ્યો હોય, ફ્રીજને હટાવી દેવામાં આવ્યું હોય, સિનેમા વગેરે જોવા ઘરની એક પણ વ્યક્તિ જતીન હોય, ઘરની એક પણ વ્યક્તિગુટખા, બીડી, સિગારેટ, દારૂ વગેરે વ્યસન ધરાવતી ન હોય, ઘરની તમામ બહેનો માસિક ધર્મનું (M.C. નું) બરાબર રીતે પાલન કરતી હોય, ઘરની એક પણ વ્યક્તિ વ્યભિચારના રવાડે ચડી ન હોય, વધુમાં વધુ બ્રહ્મચર્ય પળાતું હોય, ગર્ભપાતની તો જે ઘરમાં વાત પણ ન થતી હોય, જંતુનાશક દવાઓનો જે ઘરમાં ઉપયોગ ન થતો હોય, આવું ઘર ધર્માત્માનું ઘર કહેવાય. તમે ધારો તો સંસ્કૃતિ અને ધર્મના પ્રાણતત્ત્વોને તમારા ઘરમાં પ્રવેશ આપી આખા ઘરને સુખી બનાવી શકો છો. પણ જો તમારું મન ભોગસુખો માટે લંપટ હશે, તો આ બધા બંધનો તમને ફાવશે નહીં. તેથી તમારે અંધકારમય ભાવિની તૈયારી રાખવી ઘટે. જેઓ ખરા અર્થમાં ધર્માત્મા છે, એટલે કે ધર્મ-સંસ્કૃતિના નીતિ-નિયમોનું સારી રીતે પાલન કરે છે, તેમને માટે તો રૂદત્નોમુરઘ - પરત્નોસુર (આ લોકમાં ય સુખ અને પરલોકમાં ય સુખ છે), પરંતુ ભોગ લંપટતાના પાપે જેઓએ ધર્મ-સંસ્કૃતિના બંધનો ફગાવ્યા છે, તેમને માટે તો રૂદવું - પત્નો વં (આ લોકમાં ય દુઃખ અને પરલોકમાં ય દુઃખ છે). ખાવા-પીવામાં બેફામ બનેલાઓ, ભોગમાં લંપટ બનેલાઓ, સુખ પાછળ અકરાંતીયા બનેલાઓ, વ્યસનોનો ભોગ બનેલાઓની નરક જેવી હોસ્પિટલની દુનિયા જોઈ આવો. આ લોકમાં રોગ, ઝગડાઓ, અતૃપ્તિ વગેરેના દુઃખો અને પરલોકમાં નરક-તિર્યંચ ગતિની પરંપરા. આ બધાની ભોગલંપટ માણસોએ તૈયારી રાખવી જ પડે. દરેક ઘરમાં ખાસ કરીને બહેનોએ અને માતાઓએ સંસ્કૃતિ-ધર્મનાં બંધનોનું જડબેસલાક પાલન શરૂ કરવું જોઈએ. જેમ અત્યારે ઘણાના ઘરમાં બહેનો માસિક ધર્મનું પાલન કરતાં નથી. પૂર્વના કાળમાં M.C. વાળી સ્ત્રીઓ અલગ સ્થાનમાં તદ્દન નિવૃત્તિ રૂપે ત્રણ દિવસ પસાર કરતી હતી. ઘરના કે ધર્મના તમામ કામકાજ છોડી શુભ વિચારોમાં સમય પસાર કરતી હતી. આજે લગભગ ઘણાના ઘરોમાંથી આ બંધન ફગાવી દેવામાં આવ્યું છે. ઘરના કામકાજ, બહારગામ બસ વગેરેમાં જવું, રસોડાનું તત્ત્વજ્ઞાન - ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy