SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ-૧૮ : તમારા ઘરને બચાવો અત્યારે જે નવા નવા રોગો ફેલાઈ રહ્યા છે અને તેની પાછળના જે કારણો જણાવવામાં આવે છે, તેણે એટલું તો સિદ્ધ કરી આપ્યું છે કે ધર્મ અને સંસ્કૃતિના બંધનો હતા તે શરીરની સુખાકારી અને આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી હતા. જો ફરી ધર્મ અને સંસ્કૃતિના પ્રાણતત્ત્વોને આ દેશમાં ધબકતાં કરવામાં આવે તો રોગોમાં મોટો ઘટાડો થાય. દવાઓ પાછળ વેડફાતા અબજો રૂપિયાની બચત થાય અને કરોડો લોકોની દર્દ પાછળ બરબાદ થતી જીંદગી બચે. સરકાર ખુદ આ માટે પ્રચાર માધ્યમો દ્વારા વૈજ્ઞાનિક ઢબે સતત પ્રચારનો ધોધ શરૂ કરે અને જનતાના હિત માટે થોડાક કડક કાયદાઓ અમલમાં લાવે તો જ શક્ય બને. પણ આ લોકશાહીમાં અને આ ભ્રષ્ટાચારના યુગમાં દેશને બચાવવો લગભગ અશકય બની ગયો છે. હવે તમે માત્ર તમારા ઘરને જ બચાવી શકો છો. તે માટે જમાનાવાદ, ભોગવાદ, પશ્ચિમી અનુકરણ વગેરેથી મુક્ત બનીને તમારા ઘરમાં તમે ધર્મ અને સંસ્કૃતિના પ્રાણતત્ત્વોને પ્રવેશ આપશો તો તમારૂં ઘર અને તમારી ભાવિ પેઢી અનેક અનર્થોથી બચી જશે. તમારા સંતાનો રામ હશે. તમારા ઘરમાં દવાઓનો પ્રવેશ ખૂબ ઓછો થઈ જશે. સૌનું આરોગ્ય ખૂબ સારૂં બની જશે. સૌના ચિત્તમાં શાંતિ હશે અને આખા ઘરમાં સંપ હશે. પણ જમાનાવાદ, ભોગવાદ અને પશ્ચિમી અનુકરણના ભોગ બની સંસ્કૃતિધર્મના પ્રાણતત્ત્વોને ખતમ કરશો તો તમારા સંતાનો કંસ જેવા પાકશે, શરીરના આરોગ્યના ધોવાણ થશે, વંશ-વારસામાં કેન્સર, ટી.બી., એઈડ્સ જેવા ભયાનક દર્દીની શરૂઆત થશે, ઘરનું વાતાવરણ તોફાની બનશે. બધાના ચિત્ત ઉચાટ અનુભવશે. ઘર એક સુંદર મંદિર બનવાના બદલે ઘર આગની ભઠ્ઠી બની જશે. કેંકના ઘરો ખેદાન મેદાન થઈ ગયા છે. એર કન્ડીશનોમાં વસનારા શ્રીમંતોના દિલમાં અશાંતિની ભયાનક ગરમી હોય છે. તમારા ઘર-જીવન અશાંત બન્યા હોય, ઘરમાં કુસંપ ફેલાયા હોય, શરીરના આરોગ્યના ધોવાણ થયા હોય, સંતાનો ઉદ્ધત પેદા થયા હોય તો તે બધાના મૂળમાં તમે ધર્મ-સંસ્કૃતિને આપેલ ટૂંપો જવાબદાર છે. માત્ર બાહ્ય ક્રિયાકાંડથી તમે તમારી જાતને ધર્મી સમજવાની ભૂલ કરશો નહીં. ધર્મ અને સંસ્કૃતિના કેટલાંક ચોક્કસ બંધનો તમે ફગાવી દીધા હોય તો પછી માત્ર તપ-જપ-ક્રિયાકાંડથી તમે ધર્માત્મા બની શકતા નથી. Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન - ૯૭ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy