________________
બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર
૨૮૧ અહીં દેવ, દાન અને મનુષ્ય રૂપી ભ્રમરેથી સેવિત અને સુગંધિત કરાયેલાં ચરણ કમળવાળા ભવરૂપી ગાઢ વનને બાળવા માટે ભયંકર અગ્નિવાલા-સમાન, ભવરૂપ મહાસપના વિષાગ્નિના સમૂહથી ભરખાએલ ભુવનને પોતાના મુખમાંથી ઝરતાં વચનામૃતનાં બિન્દુઓથી જે જિનેશ્વરાએ શાંતિ પમાડેલ છે, તેમ જ અત્યંત ઘેર, પાર પામી ન શકાય એવા નરક–પાતાલના મૂળમાં પડતા જગતને પિતાના જ્ઞાનરૂપ હસ્તાવલંબનથી પાર પમાડનાર એવા મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ તીર્થકરેથી શોભાયમાન મહાઅર્થપૂર્ણ ઉત્તમ હરિવંશને સંક્ષેપથી અહીં વર્ણવ્યો.
એ પ્રમાણે ચિપન મહાપુરુષ-ચરિત વિષે નારાયણ, બલદેવનાં ચરિતે સહિત અરિષ્ટનેમિ તીર્થકર ભગવંતનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૯-૫૦-૫૧]
પપૂ આગમ દ્ધારક આ. શ્રીઆનંદસાગર સૂરીશ્વરજી મ.ના શિષ્ય, આ. શ્રીહમસાગર સૂરિએ ઉપગ્નમહાપુરિસ–ચરિત (પ્રાકૃત)ના ૪૯-૫૦-૫૧ અરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ અને બલદેવનાં ચરિત્રો અનુવાદ પૂર્ણ કર્યો. સં. ૨૦૨૪ શ્રીષભજિન-જન્મ-દીક્ષા કલ્યાણક-ગુરુ, ચોપાટી, મુંબઈ તા. ૨૧-૩-૬૮
(પર) બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર
णमो सुयदेवयाए ॥ પિતાના કર્મની પરિણતિના ગે ઘણા પ્રકારના કલેશથી ઉપાર્જન કરેલ પુણ્યદય પણ મહાપુરુષને અશુભ ફળના વિપાકવાળો થાય છે.
જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં નજીક નજીક રહેલા અનેક ગામે, નગરો અને ખાણોવાળે, કલિકાલના કલંકાદિ દોષથી રહિત “પંચાલ” નામને દેશ હતું. તેમાં ઈન્દ્રના હુકમથી કુબેરે બનાવેલી “વિનીતા ” નગરી સરખું સમગ્ર ગુણગણથી યુકત “કાંપિલ્ય” નામનું નગર હતું. તેમાં અભિમાની શત્રુઓને મન કરનાર, ક્ષત્રિયકુલ–આકાશતલમાં ચંદ્રસમાન છએ ખંડ સ્વાધીન કરનાર, ભરતાધિપ બ્રહ્મદત્ત નામના ચકવતી થયા હતા.
તે ચક્રવર્તીને બાર જન લાંબાં, નવ જન પહેલાઈને પ્રમાણવાળાં નવ મહાનિધાન હતાં. તે આ પ્રમાણે –૧. નૈસર્પ, ૨. પંડુક, ૩. પિંગલક, ૪. સર્વરન, ૫. મહાપ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮, માણવક અને ૯ શંખ. તેમનાં કર્તવ્યો આ પ્રમાણે હોય છે—
નૈસર્પ મહાનિધાન ગામ, ખાણ, નગર, દ્રોણમુખ, મડંબ, પટ્ટણ અને સૈન્ય-પડાની સ્થાપના કરે છે. તથા પંડુક નિધાન માન-ઉન્માન-પ્રમાણ ધાન્ય અને બીજેની એક સામટી ઉત્પત્તિ કરે છે, પિંગલ મહાનિધાનથી જે કઈ પુરુષને કે સ્ત્રીને રથ, ઘોડા, હાથી આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org