SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધમાં જતા સુભટેની વિવિધ ચેષ્ટા ૨૪૫ આપનારી, પ્રિય-પત્નીની જેમ રાત્રિ સમાપ્ત થઈ. તે પછી નિદ્રાથી આળસપૂર્ણ નેત્રવાળા, બગાસાથી શિથિલ અને ઊંચી કરેલી ભુજાવાળા, પ્રથમ જાગેલી પ્રિયતમાથી શૂન્ય ડાબા પડખાવાળા રાજા જાગૃત થયા. ઈષ્ટ દેવતા–પૂજનાદિ આવશ્યક કાર્યો કર્યા. સિંહાસન પર સુખપૂર્વક બેસીને પિતાના સેવકવર્ગને આજ્ઞા આપી કે- “યુદ્ધમાં જવા માટેની ઠકકા વગડા.” હવે દેવતાએ પિતાના હાથથી વગાડેલ દુંદુભિના શબ્દ સરખે પ્રયાણ માટે વગડાવેલી ઢકકાનો શબ્દ રાજ્યાંગણમાં ઉછળે. તે ઢક્કારવ સાંભળીને સામંત અને કોટવાલવર્ગ જાગૃત થયું. ત્યાર પછી તેઓ શું કરવા લાગ્યા, તે કહે છે-કેળનાં ઘણું ફળને ગૃહભૂત વૃક્ષેથી વિશાળ નંદનવન સરખા, વિરહથી ઉત્પન્ન થયેલ તાપને નાશ કરનાર પ્રિયંગુપુષ્પની માળાથી ભિત પુષ્ટ ફલકવાળા, વિશાળ સ્તનના આધારભૂત વક્ષસ્થળને શિથિલ કરીને યુદ્ધમાં પ્રયાણ કરવાના સ્વામીના કાર્ય પ્રત્યે વિશેષ આદર કરતા હતા. વળી બીજે કઈ સુભટ કંઠબંધન અને ઔસુકયવાળી પ્રિયાને સ્વામીના કાર્ય માટે પ્રિયાની ભુજલતાના સ્નેહપાશની જેમ મુશ્કેલીથી છોડાવે છે. વળી કેઈ સુભટ પ્રિયાને કહે છે કે, “હે સુંદરી! વિખરાયેલા અવ્યવસ્થિત શિથિલ કેશવડે ચંચળ કરેલા વલય આભૂષણવાળા તારા વદનને અદ્ભજળથી મલિન ન કર. અને તમારું માને છેડી દો” શ્રેષ્ઠ શરીરવાળા ચંચળ બાલકને સ્થાપ-પ્રયાણ કરતા પતિને જાણીને કઈ પત્ની વિશાલ મુખ ઊંચે રાખીને ઘણુ વિગ ઉત્પન્ન કરનાર ખરાબ નિમિત્તની શંકાથી વિષાદના કારણે ઉત્પન્ન થયેલા અશ્રુઓને નેત્રની મધ્યમાં ઘૂમાવે છે, પણ નીચે પડવા દેતી નથી. વળી કઈ સુભટ, યુદ્ધમાં જવાનો નિશ્ચય કરેલ હોવા છતાં ફરી મળવાને સંદેહ હેવા છતાં, પ્રાણને સંદેહ હોવા છતાં, આપત્તિમાં પડેલા લેકને સહાય કરનાર વ્યવસાયની જેમ અશ્વારોહણ કરતા હતા. કેઈક સુભટ ગંડસ્થલથી ઝરતા મદજળવાળા, ભારી શત્રુઓનું ભેદન કરવા સમર્થ લાંબા દુશળવાળા, શત્રધાને વિનાશ કરનાર, પિતાના પુરુષાર્થની જેમ અત્યંત દથિી ભરેલા વિશાળ હાથી ઉપર આરોહણ કરતા હતા. કેટલીક સ્ત્રીઓ પતિ ગયા” એમ જાણીને વિરહના ભયથી લજા અને ભયથી કંપતાં તેમનાં અંગોને સખી જેવી મૂછએ ગ્રહણ કર્યા. આ પ્રમાણે સમગ્ર સુભટ-વર્ગ તૈયાર થઈને બહાર નીકળે. ક્ષણવારમાં સામંત–સમુદાય એકઠો થઈ ગયો. એક પડખામાં અક્ષેભ્ય વગેરે સમગ્ર બંધુવર્ગ બેઠેલા હતા. બીજી બાજ ભજન, બલરામ અને કૃષ્ણ બેઠેલા હતા. આવા પરિવારવાળા સમુદ્રવિજય રાજાએ પ્રયાણ કર્યું. કેઈક જગા પર ઉંટે ત્રાસ પમાડેલા-ભડકાવેલા ખચ્ચર ઉપર બેઠેલી વિલાસિની સ્ત્રીને નીચે પટકવાથી વિટ લેકેને હસાવ્યા. કોઈક સ્થળે મત્ત હાથીએ રોષ પામીને મહાવતોને ભૂમિ પર રગદેવ્યા છે. જેમાં, કેઈક સ્થાનમાં વડવા-ઘેડીને દેખવાથી ભડકેલા વિરુધ્ધ દિશામાં જતા ઉધત અશ્વો વડે સ્વારે ખેંચાયા છે-જેમાં, કઈ જગા પર ઘણા શિંગડાનાં બનાવેલાં વાજિંત્રોના શબ્દોથી ભડકેલા ગધેડાના ભેંકારવથી મુખર એવી સેના પ્રયાણ કરતી આગળ વધતી હતી આ પ્રમાણે કેટલાંક પ્રયાણ કરતાં કરતાં સરસ્વતી નદીના કિનારા પાસેના સિણવલ્લિકા નામના ગામે પહોંચ્યા. ત્યાં સરખા સ્થલવાળી યુદધભૂમિને યેગ્ય ભૂમિમાં સમુદ્રવિજય રાજાએ પડાવ નાખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy