SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષ- ચરિતનું પઠન-પાઠન આ ઉપૂનમહાપુરિસચરિમન પઠન-પાઠનમાં ઉપયોગ પાછળના અનેક પ્રતિષ્ઠિત આચાર્યોએ કરેલ જણાય છે. સુપ્રસિદ્ધ શ્રી હેમચન્દ્રાચાર્યના ગુરુવર્ય શ્રી દેવચન્દ્રસૂરિએ વિક્રમની બારમી સદી (સં. ૧૧૪૬)માં મૂલશુદ્ધિ પ્રકરણ (સ્થાનકવૃત્તિ)માં, શીવર્ધમાનાચાર્યે ત્રષભદેવચરિતમાં, શ્રી હેમચન્દ્રાચાર્યે સંસ્કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં તથા ભદ્રેશ્વરસૂરિએ પ્રાકૃત કથાવલી (અપ્રસિદ્ધ) વગેરેમાં પ્રસ્તુત મહાપુરુષચરિતનાં ઉદ્ધરણે-અવતરણે કરેલાં જણાય છે. તુલનાત્મક દૃષ્ટિથી પ્રાચીન ગ્રન્થોના અભ્યાસી બહુશ્રુત વિદ્વાને એ વિચારી શકે. પ્રત્રજ્યા-પરિપાલનમાં ધર્મોપકરણની ઉપયોગિતા - આ વિષય ઉપર શ્રીવર્ધમાનસ્વામીના ચરિત (મૂળ પૃ. ૩૦૧-૩૦૨; અનુવાદ પૃ. ૪૧૫૪૧૬)માં પ્રથમગણધરના પ્રવજ્યા-પ્રસંગે જરૂરી ચર્ચા છે. જેઓ (દિગંબરે) ધર્મોપકરણને પરિગ્રહરૂપે માને છે -મનાવે છે-એ માન્યતા અયોગ્ય છે તે સમજાવેલ છે. કેટલાક ફેરફારો પ્રાચીન પોથીઓની નકલ કરનારા લેખકેએ પ્રાચીન લિપિ વાંચવામાં અજ્ઞાનથી અથવા ભ્રમથી જે કંઈ લખ્યું, તે વાંચતા–વિચારતાં પાછળના વિદ્વાનોને પણ ભ્રમ થવો સંભવિત છે. એ રીતે આ મહાપુરષચરિતનાં કેટલાંક વિધાને બીજાં ચરિતાથી જુદાં પડે છે એ વિચારણીય છે. અન્યત્ર વર્ધમાન કુમારની પત્ની તરીકે યશોદાનું નામ પ્રસિદ્ધ છે, અહીં યૌવન પ્રાપ્ત થતાં, તેના પ્રભાવ અને ગુણ-ગણાનુરાગી રાજાઓ, પોતાની પુત્રીઓ લઈને આવ્યા અને ભગવંતને અર્પણ કરીએવો ઉલ્લેખ જોવાય છે. અન્યત્ર શ્રી વર્ધમાન સ્વામીના જયેષ્ઠ બધુ તરીકે નંદિવર્ધનનું નામ જાણીતું છે. અહિં તે નામ આપ્યા વિના દીક્ષા લેતાં પહેલાં પોતાના નાનાભાઈને રાજય આપીને જણાવ્યું છે, –એવી રીતે બીજે કેટલેક સ્થળે પણ કેટલાક ફેરફાર જણ્ય છે, –આ પ્રા. મહાપુરુષચરિતમાં મૂકેલા વિબુધાનન્દ નાટક (એક અંકવાળાં રૂપક)માં સૂત્રધારના મુખથી “વિમલમતિ' અભિધાનવાળા “કવિ શીલાંકની આ કૃતિ છે- એ રીતે કવિએ પિતાનું નામ સૂચિત કર્યું છે–એ ઉલ્લેખ મેં સન ૧૯૨૭માં આજથી ૪૨ વર્ષો પહેલાં સંપાદન કરેલ “અપભ્રંશ કાવ્યત્રયી” (ગા. એ. સિ. નં. ૩૭, ભૂમિકા પૃ. ૧૧૦)માં વિક્રમની દશમી સદીના (સં. ૯૨૫ના) અપભ્રંશનું ઉદાહરણ દર્શાવતાં એ પ્રા. મહાપુરુષચરિતની સ્વ. હંસવિજયજી મ. ના સંગ્રહની પ્રતિ પત્ર ૩૧ના આધારે દર્શાવ્યું હતું. –આ ચરિત-ગ્રન્થમાં પ્રાસંગિક સુભાષિતો, કહેવત પણ જોઈ શકાશે. જિજ્ઞાસુઓએ વિષયા. નુક્રમણિકા વાંચી-વિચારી જવી, એથી આ ગ્રન્થમાં રહેલી ઉપયોગી માહિતી મળી જશે—એથી અહિ પુનરુક્તિ કરવામાં આવી નથી. ૧ પૃ. ૨૭રમાં મૂળમાં પાઠ-“સંપતો ય ગોવળે ! તાજુહા-કુળનાગુરાયા ૧ રાફળો સમાયા ળિય ध्याओ घेत्तण पणामियाओ भयवभो।" ૨ મૂળમાં પૃ. ૨૭૨નો પાઠ–“વોયખાતે ગજિન-ગળાઈ વળામિકા નિચળકૃણ માસણો શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy