________________
જૈન ધર્મ અને અહિંસા ૦ ૫૯, અને સંગ્રહવૃત્તિને મર્યાદામાં રાખવાના હેતુથી જ. દાન એટલે ન્યાયપૂર્વક પેદા કરેલ ધન વગેરેની સામગ્રીનો સર્વ પ્રાણીઓના અને ખાસ કરીને કોઈ ભેદ રાખ્યા વગર મનુષ્યોના હિત-શ્રેય માટે ઉપયોગ.
આમ કરવાથી સંગ્રહવૃત્તિ ઉપર અંકુશ આવી જ જાય, અને એ અંકુશ આવે એટલે શીલ-સદાચાર સહજ બની જાય, અને એ સહજ બને એટલે ઇંદ્રિયનિગ્રહ તથા મનોનિગ્રહરૂપ તપ પણ આપોઆપ સધાય. આ માટે કાંઈ જુદા ઉપવાસો કરવાની જરૂર હોતી નથી વા રહેતી નથી. અને આ બધું સધાય એટલે ચિત્તશુદ્ધિરૂપ પરિણામ અનાયાસે જ આવી જાય. આમ, સંગ્રહવૃત્તિ ઉપર અંકુશ વા અહિંસાદિક પાંચ યમો વા દાન, શીલ, તપ અને ભાવ-એ બધી પ્રવૃત્તિઓ કાયિક વા માનસિક એમ બન્ને પ્રકારે પરસ્પર સંકલિત છે, પરસ્પર સુસંબદ્ધ છે, એક-બીજાને ટેકારૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન ધર્મે જંગમ મનુષ્ય તથા પશુ-પક્ષીરૂપ પ્રાણી તથા પૃથ્વી વગેરે સ્થાવરરૂપ પ્રાણીએ તમામની હિંસા નહિ કરવાની ભલામણ કરી છે. અને જ્યાં એ સ્થાવર પ્રાણીઓની હિંસા કર્યા વિના જીવન નહિ ટકવા જેવું લાગે તેવા જ સંયોગોમાં એમની હિંસા ઉપર મર્યાદા મૂકી છે. આમ કહીને,જૈન ધર્મ પોતાના પાયાના સિદ્ધાંતરૂપ અહિંસાને માને છે; આ રીતે, અહિંસાનું ઉત્કટ સ્વરૂપ જૈન ધર્મમાં વિશેષતઃ બતાવેલ છે.
જંગમ પ્રાણીઓ, મનુષ્યો વગેરે સાથેના વ્યવહારમાં પરસ્પર સહાનુભૂતિભર્યું વલણ, એક-બીજાની લાગણીને સમજીને વર્તવાની પ્રવૃત્તિ, તમામ જંગમ પ્રાણીઓ સાથે મૈત્રીવૃત્તિ વગેરે ઉપર ભાર મૂકીને જૈન ધર્મે હિંસાનો સર્વથા નિષેધ જ કરેલ છે. એટલે જે કેટલાક લોકો એમ સમજે છે, અને ઘણા લોકો તો એટલે સુધી કહે પણ છે, કે જૈન ધર્મ કીડા-મંકોડાની અહિંસા વિશે ભાર મૂકે છે, પણ મનુષ્યો અને પશુઓ વગેરેની અહિંસા ઉપર ભાર મૂકતો જણાતો નથી-આવી માન્યતા તદ્દન ભૂલભરેલી છે. જેઓ આવી માન્યતા ધરાવે છે તેઓ જૈન ધર્મના અહિંસાના સ્વરૂપને સમજ્યા જ નથી, વા તેમણે એ હકીકતને સમજવા ધ્યાન જ નથી આપ્યું, પણ જૈન ધર્મના અનુયાયીઓની પ્રવૃત્તિઓ જોઈને એવી ભળતી જ કલ્પના ગૃહીત કરી છે.
જે લોકો વૈદિક પરંપરાના અનુયાયીઓ છે, તે લોકો ઇતિહાસના જમાનામાં ભૂતકાળમાં પરસ્પર ખૂનખાર રીતે લડતા હતા અને એક-બીજાનો જાન લેવા તલસતા હતા, તેમ જ વ્યભિચાર કરતા હતા, ખોટું બોલતા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org