SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ • સંગીતિ “સુખ-દુઃખને, લાભ-અલાભને તથા જય-પરાજય વગેરે પરિસ્થિતિઓને સમાન ગણીને અને પરમેશ્વરની ઈચ્છાને વશ થઈને પ્રવૃત્તિ કરનારો મનુષ્ય પ્રાકૃત દુઃખ કે સુખથી કદી મૂંઝાતો નથી તેમ હરખાતો પણ નથી.” જૈન પરંપરામાં પણ આ વાતને જ આ રીતે કહેલ છે કે “બીજો કોઈ મારા ઉપર કાબૂ રાખે અને તે માટે સહન કરવું પડે તે કરતાં તો હું જ મારી જાત ઉપર પોતે કાબૂ રાખું અને પ્રાપ્ત પરિસ્થિતિમાં પણ પુરુષાર્થની અજમાયશ સાથે પ્રસન્ન ભાવે રહું એ વધારે ઉત્તમ છે.” આમ તમામ ધર્મપ્રવર્તકોએ આપણને માર્ગ તો સાફ રીતે દર્શાવેલ છે, પણ આપણા સંકલ્પમાં એ ઉપાય હજી સુધી બરાબર બેઠો નથી. જ્યારે પણ પ્રાચીન અનુભવી પુરુષોએ બતાવેલો ઉપાય માણસના સંકલ્પમાં દઢ રીતે જડાશે ત્યારે આ જગતની પાસે સ્વર્ગ કે મુક્તિ પણ પાણી ભરે એવું સુંદરતમ અને પવિત્રતમ તે બની જશે. માણસ આ હકીકતો જાણે છે કે પોતાના મનમાં કેટલાંક અનિષ્ટ અને વઘાતક સંસ્કારોનાં બીજ પડેલાં જ છે, જે અંકુરિત થઈ ફાલતાં-ફૂલતાં ભારે ઘમસાણ ઊભું થાય છે; એટલું જ નહિ, મોટી મોટી સંહારક લડાઈઓ પણ આને જ આભારી છે. કુટુંબમાં, નાતજાતમાં, વિદ્યાના ક્ષેત્રમાં, ધર્મના સ્થાનમાં કે ગમે ત્યાં ફાલેલા એ સંસ્કારોને લીધે ભડકા બળતા હોય છે, જેને પરિણામે ક્યાંય શાંતિ, સંતોષ કે સુખચેનનું નિશાન પણ ટકતું નથી. ઘણી વાર તો વળી એ કુસંસ્કારો ધર્મનું રૂપ લે છે ત્યારે વળી એ ભડકો એવો ભારે હોય છે કે તેને લીધે પોતાને ધાર્મિક માનતા લોકો જ વિનાશના મુખમાં સપડાઈ પતંગિયાની પેઠે બળી જાય છે. આ તમામ પરિસ્થિતિથી માનવ રજેરજ સુપરિચિત છે, તેમ છતાં એ દુઃસંસ્કારરૂપ શલ્યોને ઉખેડી નાખવાનો સંકલ્પ બળવાન બનતો નથી. આપણે જોઈએ છીએ કે માણસ, માત્ર એક સંકલ્પબળને લીધે જ સિંહને, વાઘને, ભયંકર સર્પને નાથવાનું સામર્થ્ય ધરાવે છે. જ્યાં કોઈ જઈ શકતું નથી તેવા હિમાલયના ઉચ્ચતમ શિખર ઉપર પહોંચી પોતાનો ધ્વજ ફરકાવી શકે છે. અરે, હવે તો ચંદ્ર સુધી પહોંચવાની હિંમત પણ માણસ ધરાવે છે. પણ પોતાના મનના આવેગો પાસે તો એ લાચાર બનીને, એ આવેગને અધીન થઈને જ ચાલતો રહે છે અને દુઃખની બતાવે તેને સંસારના રણસંગ્રામમાં પડવાથી પાપ લાગવાનું નથી. ૧. વર ને ગપ્પા હંતો, સંગમે તવે જ ! મારું દિગંતો, વશ્વદિ વદિય ઉત્તરાધ્યયન સૂત્ર, પ્રથમ અધ્યયન, ગા. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy