SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨૦ સંગીતિ નવનેજાં પાણી આવી જાય છે અને જાણે ગળે પ્રાણ આવ્યા હોય એવું પણ થઈ આવે છે. જ્યારે ચડાવ આવે છે ત્યારે તો બિચારા બળદોની જીભ હાથ જેટલી નીકળી જાય છે. અત્યાર સુધી તો આ પાણીનો ઘણો ઉપયોગ હતો અને એથી તમામ માણસો અને પશુઓને ભારે સુખ હતું, પણ હવે આગળ વરસાદ જ વરસી રહ્યો છે, ઠેકઠેકાણે નાળાં પણ ભરાઈ ગયાં છે અને પાણીની છાકમછોળ છે. તેથી હવે આ પાણીની ગાડીને ખાલી કરાવી નાખું, તેમાં ભરેલાં બધાં માટલાં ફોડાવી નાખું અને આ બળદોને આરામ મળે એવું કરું. વળી આ ગાડી અને બળદો ખાલી હશે તો બીજા કામમાં પણ આવશે.’ આમ વિચાર કરીને તેણે પેલાં પાણીના ગાડીવાળાને હાંક મારી ગાડી ઊભી રખાવી. એટલામાં ખવીસરાજ ‘હવે અમારે મોડું થાય છે' એમ કહીને કોઈ ન દેખે એ રીતે તે જંગલમાં અદૃશ્ય થઈ ગયો. આ તરફ ગાડીમાંનાં પાણીનાં માટલાં ધબોધબ નીચે પડવા લાગ્યાં, ચારે બાજુ પાણી ઢોળી નાખવામાં આવ્યું અને કોગળો કરવા જેટલું પણ પાણી બાકી રહ્યું નહીં. તે સ્થળેથી આગળ વધતાં પડાવ કરવાનો વખત થતાં એક મોટા મેદાનમાં તેણે પડાવ નાખ્યો. રસ્તામાં ટીપું પણ પાણી ન દેખાયું અને પેલી વનરાઈની પાછળ પણ સૂકુંભઠ આકાશ વણજારાની મશ્કરી કરતું હસી રહ્યું હતું. પડાવમાં તમામ લોકો ‘પાણી પાણી'ની બૂમ મારતા હતા. તેમને ખબર પડી કે વણજારાએ તમામ પાણી ફેંકાવી દીધું છે, બધાં માટલાં ફોડાવી નાખ્યાં છે અને કોગળો કરવા જેટલું પણ પાણી રહેવા દીધું નથી, ત્યારે તેઓ વણજારાને ભાંડવા લાગ્યા. પાણી વિના સૌ ‘ત્રાહિ', ‘ત્રાહિ' પોકારી ઊઠ્યા. પડાવ પડ્યા પછી બળદોને છૂટા કરવામાં આવ્યા, ગાડીઓ ઘેરામાં ગોઠવાઈ. પાણી વિના શું થાય ? પૈડાં સાથે બાંધેલા બળદો તરસ્યા રહ્યા અને માણસો પણ તરસ્યા રહ્યા. આ રીતે આખી રાત તરફડિયાં મારતાં બધાં મનુષ્યો અને પશુઓ હેરાન થઈ ગયાં. હવે મોકો મળતાં મધરાતે પેલા દૈત્યો પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યા. તેમને ખબર જ હતી કે આજે આપણને નરમાંસનો ઠીક લાગ મળવાનો છે. તેઓ એ પણ જાણતા હતા કે પેલો વણજારો નર્યો કમઅક્કલ જ છે અને તેને પોતાના રાજા મોટા ખવીસના વચન ઉપર વિશ્વાસ આવી ગયો છે. એટલે તેણે પોતાની પાસે એક ટીપું પણ પાણી નહિ રહેવા દીધું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy