SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ આપણા દેશમાં સાત લાખ ગામડાં છે એમ કહેવામાં આવે છે. ગામડાંમાં વસનાર ભાઈ-બહેનોને પોષક ખોરાક મળે તો જ તેઓ શરીરે સ્વસ્થ રહીને પોતાનો બાપુકો ઉદ્યોગ (ખેતીવાડીનો) બરાબર કરી શકે. એ ઉદ્યોગ તો બારે માસ ચાલતો નથી; તેથી જ્યારે વખત ફાજલ હોય—વરસમાં ઓછામાં ઓછા ચાર મહિનાનો વખત ફાજલ હોય જ છે—તે વખતે આ ગ્રામવાસીઓ જરૂ૨ ગ્રામોદ્યોગ કરી શકે છે અને આવા ગ્રામોદ્યોગ દ્વારા તેઓ કમાણી કરીને ઠીક ઠીક બદલો મેળવી પોતાને પોષક એવી ખોરાકીપોશાકી જરૂર મેળવી શકે તેમ છે. ગ્રામોદ્યોગમાં પ્રથમ તો ગામપૂરતું કાપડ મેળવવાનું, ચોખા તથા દાળને છડવાનું, અનાજ વગેરેને ખાંડવાનું કે ઓધાવાનું અને દળવાનું વગેરે અનેક ગૃહઉદ્યોગ છે. અમુક વર્ગના લોકો માટે ખાસ ધંધા જેમ કે ઘાંચી માટે તલ પીલવાનું, દરજી માટે કપડાં સીવવાનું, મોચી માટે જોડા સીવવાનું, સુથાર માટે ઘર તથા ખેતી માટેનું રાચરચીલું બનાવવાનું, લુહાર માટે લોઢામાંથી ઉપયોગી ખીલા, સળિયા, સાણસી વગેરે બનાવવાનું તથા કોશ, કોદાળી, પાવડા, કોદાળા, હળની કોશ વગેરે બનાવવાનું આમ પણ અનેક ગ્રામોદ્યોગો છે. આ ઉપરાંત સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, જુદા જુદા રંગની શાહીઓ બનાવવાનો વગેરે અનેક વેપારી ઉદ્યોગો પણ છે. Jain Education International છે આ બધા ઉદ્યોગો માટે માત્ર તાલીમની જરૂર હોય છે. કોઈ ઉદ્યોગોમાં હાથથી ચલાવી શકાય એવાં યંત્રરૂપ સાધનો પણ જરૂરી હોય છે. આ બધા ગૃહઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પ્રજાને તેમની લાયકાત પ્રમાણે શીખવી દેવામાં આવે અને શીખવી દીધા પછી શીખનારની પૂરી નિપુણતાની ખાતરી ક્ય પછી તે ગૃહઉદ્યોગો ઘરના જ માણસો પાસે કરાવવામાં આવે અને કેટલાક ગ્રામોદ્યોગો અમુક અમુક વર્ગના લોકોને સારી રીતે શીખવી દેવામાં આવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy