________________
૧૭૬ • સંગીતિ ગયા છીએ. માટે જ આ ભિક્ષુનો શ્રમણનો-સંન્યાસીનો માર્ગ સ્વીકારવા તૈયાર થયા છીએ અને સંસારના ચક્રથી છૂટી જવા માટે અમે કામગુણોનો ત્યાગ કરીએ છીએ.” ૪ - જ્યારે પુરોહિતે પોતાના પુત્રોને કામભોગોથી વિરક્ત જોયા અને મોક્ષની તેમની આકાંક્ષા વધતી જોઈ, ત્યારે તેને ભારે વિષાદ થયો. વૈરાગ્યના રંગથી રંગાયેલા તે બંને પુત્રોએ પોતાની વાત પોતાના પિતાને આ પ્રમાણે કહી બતાવી : ૬
આ સંસારના સુખો સ્થાયી નથી, તેમ જ તે ઘણાંઘણાં વિઘ્નોથી ભરેલાં છે.વળી અમારું આયુષ્ય પણ એટલું બધું લાંબું નથી. માટે હે પિતાજી ! અમે ગૃહસ્થાશ્રમનાં સુખને મેળવવાનો પ્રયત્ન કરવાના નથી, મુનિવૃત આચરવાના છીએ અને એ માટે તમને પણ આમંત્રણ આપીએ છીએ.”૭
પુરોહિતને આ વાત સાંભળીને ભારે આંચકો લાગ્યો અને પોતાના પુત્રો વેદો ન ભણે, યજ્ઞો ન કરે અને ગૃહસ્થાશ્રમ માંડીને પુત્રોને પેદા ન કરે, એ બધું તેને પોતાની કર્મકાંડપ્રધાન પુરાણકાળથી ચાલી આવતી પ્રણાલિકાથી તદ્દન ઊંધું લાગ્યું. એથી પુત્રોની સાધનામાં બાધા કરવા માટે તે આ પ્રમાણે બોલ્યા :
“હે પુત્રો ! તમે આ શું બોલો છો? જેઓ વેદવિદો છે તેઓ એમ કહે છે કે અપુત્ર મનુષ્યની સદ્ગતિ થતી નથી ‘વયે વેવિશે વતિ નહી ન હોડ સુયાણ તોગો') અર્થાત્ તમે પુત્ર વિનાના રહેશો તો તમારી અસદ્ગતિ થશે એમ વેદવિદોની વાત તમારે માનવી જોઈએ. ૮
માટે તમે વેદોને ભણા, બ્રાહ્મણોને પીરસો એટલે જમાડો અને તે પુત્રો ! ઘરમાં તમારી ગાદી ઉપર પુત્રોને બેસાડો તથા સ્ત્રીઓ સાથે ભોગોને ભોગવીને તમે અરણ્યવાસી પ્રશસ્ત એવા મુનિ થજો.” ૯
પોતાના પુત્રોનો સંન્યાસ લેવાનો વિચાર જાણીને પિતા પુરોહિત શોકથી સળગી ઊઠે છે અને તેમાં મોહ તેને અધિક સતાવે છે તેથી તે વધારે દલીલ કરે છે. ૧૦
ધનની લાલચ બતાવીને અને પુત્રોત્પત્તિનું વેદવિધાન બતાવીને પુત્રોને સમજાવવા તૈયાર થયેલા પોતાના પુરોહિત પિતાને તે છોકરાઓએ આ પ્રમાણે કહ્યું : ૧૧
“હે પિતાજી ! વેદોને ભણવાથી અમારું ત્રાણ થવાનું નથી. જમાડવામાં આવેલા બ્રાહ્મણો ઊલટું અમને અંધારામાં જ લઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org