SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મહાભારત અને જૈન આગમ ૦ ૧૭૫ હિંસાનો ત્યાગ અને સરળતા–એના જેવું બ્રાહ્મણનું બીજું કોઈ ધન નથી અર્થાત સમતા વગેરે જ બ્રાહ્મણનું ધન છે, માટે પ્રપંચવાળી પ્રવૃત્તિઓથી અટકવું એ જ ઉત્તમ છે. ૩૭ હે બ્રાહ્મણ ! તારે ધનનું શું કામ છે ! બંધુઓનું શું કામ છે ? સ્ત્રીઓનું પણ તારે શું કામ છે? તું મરવાનો છે. ગુહામાં પેઠેલો છે એવા આત્માને તું શોધ અને વિચાર કર કે તારા પિતામહ અને પિતા ક્યાં ગયા છે? (અર્થાત્ પેલો મેધાવી પુત્ર પોતાના પિતાને કહે છે કે યજ્ઞો કરવાની, વેદો ભણવાની અને પ્રજોત્પત્તિ કરવાની તમારી સલાહ વખતસરની નથી. મૃત્યુને તરવામાં એ યજ્ઞો, એ વેદાધ્યયન કે એ પુત્રો કશી સહાયતા કરી શકતા નથી. માટે હું તો ત્યાગી થઈશ અને આત્મશોધ જ કરીશ.) ૩૮ અર્થાત્ આ પિતાપુત્રનો સંવાદ પૂરો થતાં હવે ભીષ્મ પિતામહ રાજા યુધિષ્ઠિરને કહે છે, કે “હે રાજા ! પોતાના મેધાવી પુત્રનું એ જાતનું વચન સાંભળીને જેમ પિતાએ કર્યું, અર્થાત્ જેમ પિતા આત્મનિષ્ઠ બનવા તૈયાર થયા, તેમ તું પણ સત્યધર્મપરાયણ થઈને તારું વર્તન કર.” ૩૯ - હવે પછી જૈન પરંપરાના આગમરૂપ ઉત્તરાધ્યયનસૂત્રમાં આવેલા ચૌદમાં “ઉસુયારિજ' (ઇષકારીય) નામના અધ્યયનમાં જે હકીકત આવે છે તેનો આ નીચે ક્રમશઃ અનુવાદ આપું છું: એક પુરોહિત, તેના બે પુત્રો, પુરોહિતની જસા નામની પત્ની, પ્રસિદ્ધ કીર્તિવાળો ઇષકાર નામે રાજા અને તેની રાણી કમલાવતી દેવી–એમ છે પાત્રોનો સંબંધ આ અધ્યયનમાં છે. દેવલોકના જેવા રમ્ય, પ્રખ્યાત, સમૃદ્ધિવાળા અને પુરાતન કાળથી વસેલા ઈષકાર નામના નગરમાં એ છે જણાનો સંવાદ થયેલો છે. પુરોહિતના બંને પુત્રો જ્યારે બરાબર સમજણા એવા જુવાન થયા, ત્યારે તેમણે જુવાનીમાં જ સંસારના પ્રપંચપૂર્ણ ચક્રમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો; અર્થાત્ કર્મકાંડપ્રધાન પરંપરામાં તેઓ જન્મેલા હતા છતાં તેમના કોઈક વિશિષ્ટ સંસ્કારબળને લીધે તેઓ નાનપણથી જ ત્યાગવૃત્તિ તરફ વળ્યા. તેમણે ગૃહસ્થાશ્રમ ન માંડ્યો, યજ્ઞો ન કર્યા, વેદોનું અધ્યયન પણ છોડી દીધું અને બ્રાહ્મણોને જમાડવા નહીં તેમ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પણ કરવું તેમને યુક્તિરહિત લાગ્યું. તે બંને પુત્રોએ પોતાના પુરોહિત પિતાને જણાવ્યું, કે “હે પિતાજી ! જન્મદુઃખ, જરાદુઃખ અને મરણદુઃખ એ ત્રિવિધ દુઃખોને લીધે અમે ત્રાસી ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy