________________
મહાભારત અને જૈન આગમ • ૧૭૩ ધર્માચરણથી કીર્તિ થશે. ઉપરાંત આ લોકમાં અને પરલોકમાં પણ સુખ જ થશે. ૧૬
મોહથી ઘેરાયેલો માનવી પુત્રો અને સ્ત્રીઓ માટે ઉદ્યત થાય છે અને કરવાનું કે ન કરવાનું કામ કરીને પણ એમને પોષણ આપે છે. ૧૭
પુત્ર અને પશુઓની સંપતવાળા તથા વિશેષ આસક્ત મનવાળા પુરુષને, જેમ સૂતેલા હરણને વાઘ ઉપાડીને ચાલ્યો જાય છે, તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. ૧૮
મોહના ઘેનમાં પડેલા, હજુ સંચય કરવાની શરૂઆત કરતા અને વાસનાઓથી અતૃપ્ત રહેલા માનવને, જેમ વાઘ પશુને લઈને ચાલ્યો જાય છે, તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. ૧૯
“આ કામ કર્યું છે, આ કામ કરવું બાકી છે અને બીજું પણ ઘણું કર્યું છે અને કરવાનું છે–એ રીતે જે માનવ અસુખમાં આસક્ત રહે છે, તેને મૃત્યુ પોતાને તાબે કરે છે. ૨૦
જે જે કર્મો એટલે કાર્યો માણસે કરેલાં છે, તેનું ફળ હજુ તેને મળ્યું નથી; ત્યાં તો એ ખેતર, હાટ અને ઘરમાં આસક્ત થયેલા મનુષ્યને પકડીને મૃત્યુ ચાલ્યું જાય છે. ૨૧
“માણસ ભલે દૂબળો હોય કે બળવાન હોય, શૂરવીર હોય કે બીકણ હોય, જડ હોય કે કવિ-પંડિત હોયએ બધા પોતપોતાની વાસનાઓને હજુ પૂરી ન કરી શક્યા હોય તો પણ તે બધાને ઉપાડીને મૃત્યુ ચાલ્યું જાય છે. ૨૨
હે પિતા ! આ શરીરમાં મૃત્યુ, જરા, વ્યાધિ અને બીજાં અને દુઃખો ભરેલાં છે, છતાં તમે તદ્દન સ્વસ્થ જેવા કેમ બેઠા છો?
જન્મેલા પ્રાણીને જ યમરાજ ઉપાડી જાય છે, જરા ઘેરી વળે છે. મરણ અને જરાથી જગતનાં તમામ સ્થાવરજંગમ પ્રાણીઓ ઘેરાયેલાં છે. ૨૪
“જે માણસને આ ગ્રામ્ય સુખોમાં એટલે દેહ-ઇંદ્રિયોનાં સુખોમાં ચેન પડે છે, તે મૃત્યુનું જ મુખ છે અને જે માણસ એ ગ્રામ્ય સુખોને તજી દઈને અરણ્યમાં વાસ કરે છે, તે દેવોનો જ ગોષ્ઠ છે. અર્થાત્ ત્યાગ સાથેનો અરણ્યવાસ સ્વર્ગસમાન છે. ૨૫
ગ્રામ્ય સુખોમાં જ ભરાઈ રહેવું તે એક જાતનું મોટું બંધન છે. જે સુકૃતિ મનુષ્યો છે તેઓ એ બંધનને છેદી નાખે છે અને જેઓ દુષ્કૃતિ છે તેઓ એ બંધનને છેદી શકતા નથી. ૨૬
જે મનુષ્ય મનસા, વાચા અને કર્મણા કોઈ પ્રાણીની હિંસા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org