________________
૧૫૪ સંગીતિ
વળી આ સંસાર, રાજાના રથની જેવો ચિત્રવિચિત્ર રંગનો છે; એકરંગી નથી. સંસારમાં અનેક જાતના અનંત રંગો છે : તો વિત્ત ! રનરયૂપHI (શ્લોક ૫).
જે માણસ પહેલાં અજ્ઞાનને લીધે પ્રમાદ કરે છે, પણ પછી સાવધાન થઈને સદાચારી સંયમી બની જાય છે તે, વાદળાંમાંથી બહાર નીકળેલા ચંદ્રની પેઠે પ્રકાશમાન થઈને આ સંસારને પણ પ્રકાશિત કરતો દેખાય છે : સો મેં નોર્વ પાતિ ગમે મુત્તો વ વંતિમ 1 (શ્લોક ૬).
આ સંસારમાં આંધળાઓ જ વધારે છે, દેખતા લોકો ઘણા થોડા છે. જેઓ દેખતા છે તેઓ જ જાળમાંથી મુક્ત થયેલા પક્ષીની પેઠે સ્વતંત્ર બની શકે છેઃ સન્તો ખાતમુત્તો (શ્લોક ૮).
- તથા એવા પ્રજ્ઞાવંત વિવેકવંત દેખતા પરમહંસ લોકો જ મારને, તૃષ્ણાને જીતીને આકાશમાં જેમ હંસો મોકળાશથી વિચરે છે, તેમ જગતમાં સ્વતંત્રભાવે વિચરે છે : હંસાડડવિડ્યપણે ચા વા. (શ્લોક ૯).
આ લખાણમાં ધમ્મપદના કુલ છવ્વીસ વર્ગોમાંથી; તેર વર્ગોમાં જે જે ઉપમાઓ આપેલી છે, તે લગભગ બધી વિવેચન કરીને સમજાવેલી છે.
– અખંડ આનંદ, નવે. - ૧૯૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org