________________
૧૪. ભગવાન બુદ્ધ
વૈશાખી પૂનમને દિવસે ક્ષત્રિય કુળભૂષણ ધર્મસંશોધક રાજપુત્ર સિદ્ધાર્થ બુદ્ધ થયા. રાજપુત્ર સિદ્ધાર્થે સળગતા સંસારને જોઈને તેને શાંતિ પમાડવાની દષ્ટિએ અને પોતે પણ પરમશાંતિ મેળવવાના હેતુથી ભિક્ષપદ સ્વીકાર્યું. આકરાં તપ કર્યો, શરીર માત્ર હાડકાંનો માળો બની ગયું, નસેનસ દેખાવા લાગી, સગડીમાં ભરેલા કોલસા સગડીને ચલવતાં ખખડવા લાગે, તેમ રાજપુત્રના શરીરનાં તમામ હાડકાં ખખડવા લાગ્યાં. કેવળ પાણી ઉપર ઘણો વખત વિતાવ્યો, કેવળ ખડધાન્ય ઉપર પણ મહિનાઓના મહિના ચલાવ્યું, ગોમૂત્ર અને ગોબર ઉપર પણ શરીરને ટકાવી રાખ્યું; સખત તાપમાં, ઠંડીમાં અને મુશળધાર વરસતે વરસાદે પણ આસનને ચલિત ન થવા દીધું, પોતાની પાછળ પડેલી તૃષ્ણાની સેનાને પણ દાદ ન દીધી અને આમ કઠોરાતિકઠોર, ઘોરાતિઘોર સાધના કરતાં કરતાં બેભાન પણ બની જવાનો પ્રસંગ આવી ગયો; છતાં તે વજકાય વીરનર ઢીલો ન પડ્યો તે ન જ પડ્યો, અને છેવટે તેણે ગયામાં બોધિવૃક્ષને નીચે બેસીને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી જ હાશ કરી.
એ મહાત્યાગી સમર્થ સંશોધક બુદ્ધ ભગવાને પોતાના સમયના ધર્મસમાજનો ચિતાર આપતાં “સુત્તનિપાત નામના ગ્રંથમાં ૧૯મા બ્રાહ્મણધમિકસુત્તમાં પ્રાચીન બ્રાહ્મણો અને અર્વાચીન બ્રાહ્મણો વિશે જે હકીકત વર્ણવેલી છે, તે આજે પણ એટલી જ સાચી છે; તેનો સાર આ પ્રમાણે છે :
“એક વાર ભગવાન બુદ્ધ શ્રાવસ્તી નગરીના જેતવનમાં અનાથપિડિક શેઠે ભિક્ષુઓને માટે અર્પણ કરેલા આરામમાં રહેતા હતા. તે વખતે કોશલદેશના વતની કેટલાક ઘરડા કુલીન બ્રાહ્મણો ભગવાન પાસે આવ્યા. ભગવાનને કુશલ સમાચાર અને સુખસંયમની હકીકત પૂછી તેઓ બધા એક બાજુએ બેઠા, અને તેમણે ભગવાનની સાથે પ્રાચીન બ્રાહ્મણો અને અર્વાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org