SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિતા 1 श्री वीरस्तुतिः ૫૧ પંડિત જનોના ચિત્ત પ્રતિ આનંદના ઉચ્છ્વાસ માટે સમર્થ, હીંચોલા ખાતા (?) અને દીક્ષ પ્રમાણોના સમૂહરૂપ ક્રીડાના મોટા પર્વતોની માલા વડે મનોહર, સુંદર ઉક્તિના સંદોહરૂપ સુશોભિત પરવાળાના ગૃહરૂપ, દેવતા વડે અધિષ્ઠિત તેમજ જિન-ચન્દ્રે કથેલો એવો સિદ્ધાન્તરૂપ સમુદ્ર મારા ભવને ભેદનારો થાઓ. જૈન આગમ સ્યાદ્વાદમય હોવાથી, શાસ્રવાર્તાસમુચ્ચયના (સ્ત. ૭)ની ટીકાના પ્રારંભમાંના શ્રીયશેાવિજયના નિવેદનની પણ અત્ર નોંધ કરી લઇએ. “आगच्छत्रिपदीनदीसमुदयद्भङ्गभ्रमप्रोच्छल त्तकौर्मिप्रसरस्फुरन्नयरयस्याद्वादफेनोच्चयः । यस्याद्यापि विसृत्वरो विजयते स्याद्वादरत्नाकर स्तं वीरं प्रणिदध्महे त्रिजगतामाधारमेकं जिनम् ॥ ३ ॥" અર્થાત્ ( શ્રીજિનેશ્વરના મુખરૂપ હિમાલયમાંથી ) આવતી ( નીકળતી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ) ત્રિપદીરૂપ નદીમાં સુંદર રીતે ઉદય પામતા ભંગોના બ્રમથી ઉછળતા તર્કરૂપ કલ્રોલોના પ્રચારથી નયના વેગથી વ્યાપ્ત એવા સ્યાદ્વાદરૂપ ફીણનો સમૂહ જ્યાં સ્ફુરી રહ્યો છે. એવા તેમજ અત્યારે પણ જેનો પ્રસરણશીલ સ્યાદ્વાદરૂપ સમુદ્ર વિજયી વર્તે છે, તે ત્રૈલોચના અદ્વિતીય અવલખનરૂપ વીર તીર્થંકરનું અમે ધ્યાન ધરીએ છિયે, જેમ આ પઘોમાં જિન-વાણીને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે તેમ જિન-વાણીને જિનાગમને ચન્દનની, ગોવિન્દની, રોહણગિરિની, ગંગાની, નિધિની, સિંહની, પવનની એમ અનેક પ્રકારની ઉપમા અપાય છે. આ સંબંધમાં એટલું કહેવું ખસ થશે કે પ્રાય: વિચારવાકરના પ્રત્યેક તરંગની આદિમાં જિનાગમની અનેક પ્રકારના રૂપક વડે ઉપાધ્યાય શ્રીકીર્તવિજયગણિ એ સ્તુતિ કરી છે. સાતમા તરંગની આદિમાં તેમણે આગમને ચન્દનની ઉપમા આપી છે એ વાત નીચે મુજબના પદ્ય ઉપરથી જાણી શકાય છે. "काष्ठोपमानि परमतहृदयान्यपि युक्तिसमीरलहरीभिः । सुरभयति य इह तस्मै जैनागमचन्दनाय नमः ॥” ગોવિન્દની ઉપમા વિચારરભાકરના મધ્ય ભાગમાં પ્રથમ તરંગના પ્રારંભમાં (૮૧ મા પૃષ્ઠમાં) નિશ્ન-લિખિત પદ્યમાં જોઇ શકાય છે:— "पदैस्त्रिभिर्येन समस्तमेतत् त्रैलोक्यमाक्रान्तमहो महीयः । सनातनं तं नरकान्तकं च, सिद्धान्तगोविन्दमहं श्रयामि ॥" 然 કો कह कीरउ पडिओसो असमोसरणागयाण जंतूणं । सुरसेविएण तुह जिणवरिंद ! पायारविंदे ॥ २६ ॥ [જયં યતે (પ્રતિ ?)તોષઃ અસમય सरणागतानां (असमः शरणागतानां ) जन्तूनाम् । 法 सुरसेवितेन तव जिनवरेन्द्र ! Jain Education International માજા વ્રુન્દેન ( પાવારવિન્દેન ) ||] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy