SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નિવેદન ૧૯૨૫ ના એપ્રિલ માસમાં કર્યો હતે. તે અરસામાં શ્રીયુત જીવણચંદે અને જેનાનન્દ પુસ્તકાલય (સુરત)માંથી આ કાવ્યની શ્રીપ્રભાનંદસૂરિકત ટીકાની એક પ્રતિ મંગાવી આપી હતી. સમય જતાં તેમના દ્વારા મને ઉપર્યુક્ત ટીકાની બીજી બે પ્રતિ મળી. તેમાંની એક તે અમદાવાદના વિદ્યાશાળાના ભંડારની હતી, જ્યારે બીજી પ્રતિ મપાધ્યાય મુનિરાજ વીરવિજયજીના શાસ્ત્ર-સંગ્રહની (છાણીના ભંડારની) હતી. આ ઉપરાંત આ બંને સ્થળેથી મને શ્રી હેમચંદ્રમણિકત અવસૂરિની પણ એક એક પ્રતિ પ્રાપ્ત થઇ હતી. વિશેષમાં શ્રી વિજયસિદ્ધિસૂરિ તરફથી કર્તાના નામ વિનાની આ કાવ્યની એવચૂરિની એક પ્રતિ મળી હતી. આ અવસૂરિની એક બીજી પ્રતિ મને અમદાવાદના વિદ્યાશાળાના ભંડારમાંથી મળી હતી. આ અવસૂરિને શ્રી હેમચંદ્રગણિકૃત અવચૂરિમાં અંતર્ભાવ થતો હોવાથી આ અવસૂરિ અત્ર પ્રસિદ્ધ કરવામાં આવી નથી. આ સંક્ષિપ્ત અવસૂરિ ઉપરથી શ્રી હેમચંદ્રગણિએ મેટી અવચૂરિ તૈયાર કરી હશે કે એમણે રચેલી અવસૂરિ ઉપરથી આ અવસૂરિ રચવામાં આવી હશે એને નિર્ણય કરવા મેં યથાગ્ય સાધનના અભાવે પ્રયાસ કર્યો નથી. આ બધી પ્રતિઓ ઉપરાંત શ્રીયુત જીવણચંદે મને ભાસ્કરકર પ્રાચ્યવિદ્યાસંશોધન મન્દિર (પુના)માંથી ઉપાધ્યાય શ્રીધર્મશખરકત અવચૂરિની એક પ્રતિ મેળવી આપી હતી. એ પ્રતિના પત્રની સંખ્યા સાતની છે અને એનું પ્રમાણ ૩૩૬ શ્લેક જેટલું છે. વિશેષમાં આ અવસૂરિમાં એ વિશેષતા છે કે આમાં સંસ્કૃત અવસૂરિ હોવા ઉપરાંત એ અચૂરિનો ગૂર્જર ગિરામાં અનુવાદ પણ અવચૂરિકારે આપે છે. આ વાતની એ પ્રતિની અન્તમાં આપેલ અને ૧૦૮ મા પૃષ્ટમાં છપાયેલે નીચે મુજબને ઉલ્લેખ સાક્ષી પૂરે છે– ___"इति श्रीधर्मशेखरमहोपाध्यायविरचिता बालावबोधाय ऋषभपञ्चाशिकासंस्कृतમાતાચૂતિ પૂર્ણ થયા છે રૂરૂદ છે શ્રીનેમિચ મુનિરાજે રચેલી અવચૂરિની પ્રતિ પ્રકાશક મહાશય મેળવી શક્યા નહિ, પરંતુ રષભ પંચાશિકાના લગભગ પંદરેક ફોર્મ છપાઈ ગયા હતા તેવામાં ઇતિહાસતત્વમહેદધિ જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિનું મુંબાઈમાં ચાતુર્માસ્ય માટે આગમન થયું અને પ્રસંગવશાત્ આ અવસૂરિ વિષે વાત નીકળી. તેમણે તરત જ “શ્રીવિર્યધર્મલક્ષ્મજ્ઞાનભંડાર' (આગ્રા)થી એની પ્રતિ મંગાવી આપી પિતાની સાહિત્યરસિક્તાને સાક્ષાત્કાર કરાવ્યું. - આ પ્રતિઓમાંથી શ્રીપ્રભાનંદસૂરિએ રચેલી ટીકાની મુદ્રણાલય-પુસ્તિકા (પ્રેસ-કૉપી) તૈયાર કરવામાં જૈનાનન્દપુસ્તકાલય તરફથી મળેલી પ્રતિને ઉપયોગ કરવામાં આવ્યું હતું અને તેનું સંશોધન કરવામાં મેં અમદાવાદના વિદ્યા-શાળાની પ્રતિને આધાર લીધો હતે. એ બે પ્રતિઓને અત્ર અનુક્રમે જ અને ણ સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપરાંત આ ટીકાની છાણીના ભંડારમાંથી મળેલી પ્રતિનો મેં શંકાગ્રસ્ત સ્થળમાં જ ઉપયોગ કર્યો છે અને મેં તેને જ સંજ્ઞા આપી છે. આવી રીતે શ્રીહેમચન્દ્રગણિકૃત અવચૂરિની પ્રેસ-કૉપી છાણીના ભંડારમાંથી મળેલી પ્રતિ ઉપરથી તૈયાર કરવામાં આવી હતી, અને એના સંશોધન માટે અમદાવાદની વિદ્યાશાળાની પ્રતિને ઉપગ કરવામાં આવ્યો હતો. એ પ્રતિઓને અત્ર તી અને સંરા આપવામાં આવી છે. sષભ-પંચાશિકાના બીજી વારના ધન-પત્ર (પ્રફ)ની એક નકલ શ્રી વિજય મેઘસૂરિ ઉપર મેકલવામાં આવતી અને તે તેઓ તપાસી મોકલાવતા. આ પ્રમાણે પાંચ ફૉર્મ છપાઈ ગયા એટલામાં વિહારાદિ કારણને લઈને તેમના ઉપર પ્રફે મેકલવાનું માંડી વાળવામાં આવ્યું અને એ કાર્ય માટે દક્ષિણવિહારી મુનિવર્ય શ્રીઅમરવિજ્યના ચતુર શિષ્ય-રત શ્રી ચતુરવિજ્યને વિનતિ કરવામાં આવી. ૧ આ પ્રમાણે વિવિધ પ્રતિઓ મેળવી આપવામાં તેમને જે પરિશ્રમ ઊઠાવ્યો હતો તે તેમનો જૈનસાહિત્ય તરફને પ્રેમ દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy