________________
સમજૂતી :
સમગ્ર લોક સૂક્ષ્મ તેમ જ સ્થૂળ પુદ્ગલકાયો વડે વ્યાપ્ત છે, તેમનાથી સમગ્ર રીતે ભરાયેલો છે.
अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णोष्णागाहमवगाढा ।। ६५ ।। आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावैः । गच्छंति कर्म भावमन्योन्यावगाहावगाढा: ।। ६५ ।।
અનુવાદ :
આત્મા પોતાના ભાવને વ્યક્ત કરે છે; ત્યાં રહેલાં પુદ્ગલો પોતાના ભાવો વડે જીવને વિષે અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશીને કર્મભાવને પામે છે. (૬૫)
સમજૂતી :
આત્મા મોહરાગાદિ અવિશુદ્ધ ભાવોને પરિણમે છે ત્યારે જીવના પ્રદેશોમાં પરસ્પર અવગાહરૂપે પ્રવેશેલા પુદ્ગલસ્કંધો કર્મરૂપે પ્રવર્તે છે.
जह पुग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती ।
अकदा परेहिं दिट्ठा कम्माणं वियाणाहि ॥ ६६ ॥ यथा पुद्गलद्रव्याणां बहुप्रकारैः स्कंधनिर्वृत्तिः ।
अकृता परैर्दृष्टा तथा कर्मणां विजानीहि ।। ६६॥
અનુવાદ :
જેમ પુદ્ઘ દ્રવ્યોની વિવિધ પ્રકારની સ્કંધરચના અન્યથી કરાયા વગર થયેલી જોવામાં આવે છે, તેમ કર્મોની વિવિધતા પરથી અકૃત હોવાનું જાણો. (૬૬) સમજૂતી :
વિવિધ પ્રકારના પુદ્ગલસ્કંધો અન્ય કર્તાની અપેક્ષા વિના સહજ રીતે જ ઉદ્ભવે છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઉદ્ભવે છે.
जीवा पुग्गलकाया अण्णोष्णागाढगहणपडिबद्धा ।
काले विजुज्जमाणा सुहदुक्खं दिति भुंजंति ॥ ६७ ॥ जीवा: पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः । काले वियुज्यमानाः सुखदुःखं ददति भुञ्जन्ति ॥ ६७ ॥
Jain Education International
૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org