SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ગાથા-૨૯-૩૦] ૫. દોષદ્વાર – દુષ્ટવિપાકો ૭૯ સર્વ તરફથી અપમાન થવું, વગેરે દોષો સમજી લેવા. ઘાતન=તલવાર, ભાલા ઇત્યાદિથી છેદાવું, વાહન=મીઠું, પથ્થર વગેરેનો ભાર ખેંચવો, ચૂર્ણન'=મોગરી વગેરેથી કુટાવું, “ચ” શબ્દથી દુર્ગતિ, પરવશપણું, બીજાને આશ્રયે આજીવિકા મેળવવી, માતા-પિતા વગેરે કુટુંબની સંતતિ-પરંપરાનો ઉચ્છેદ, વગેરે દોષો લઈ લેવા-સમજી લેવા. જે દરેક ભવમાં ભમીને એ પાપનાં ફળો વારંવાર ભોગવતો તે દેવદ્રવ્યાદિકની આશાતના કરનારો આત્મા વિષાદ પામે છે,=વિષાદ વગેરેથી ગભરાતો-મૂંઝાયેલો-રહે છે, દુઃખી થાય છે. એટલે કે ઉપર જણાવેલા દોષો-ઉદ્વલિત થવાથી ઊભરાઈ આવવાથી પાપ કર્મનાં ફળો ભોગવવાં પડે ત્યારે, તેનાથી ચાલુ રહેતા દુધ્ધનથી હંમેશાં ઘેરાયેલો રહેતો હોય છે, દુઃખી દુઃખી રહેતો હોય છે. છે એથી રહસ્ય એ સમજાય છે, કે “પાપકર્મોના- અનુભાગનીરસની-વિચિત્રતાને લીધે દુર્વિપાકની-દુષ્ટ ફળોની પરંપરા ચાલવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.” છે તેમાં પણ, સંખ્યાત ભવોની પરંપરા ચાલવાનું દૃષ્ટાંત જેનું આગળ ઉપર વર્ણન આવવાનું છે, તે સંકાશ શ્રાવક વગેરેની જેમ સમજવું. અને અસંખ્યાત ભવ સુધી ચાલનારી દુર્વિપાકોની પરંપરા રૂદ્રદત્તની જેમ સમજવી. તે કથા આ પ્રમાણેભરત ક્ષેત્રમાં સૂર્યપૂર (સોરીપૂરી) નગરમાં અંધકવૃણિ રાજા રાજ્ય કરે છે. એક દિવસે સુ-પ્રતિષ્ઠ નામના કેવળી ભગવાન ઉદ્યાનમાં સમોસ 1. [મૂળમાં-તદ્દન ચૂરો કરી નાંખવાના-અર્થનો શબ્દ દેખાય છે.] 2. માતા-પિતા વગેરે કુટુંબનો ઉચ્છેદ એટલે સંતાનોની પરંપરાનો ઉચ્છેદી, 3. [ઉક્ત-દોષ એટલે દેવદ્રવ્યાદિનો વિનાશ કરવાનો દોષ.. 4. [ઉભરાઈ આવેલા પાપથી થયેલું દુર્બાન એટલે કે દોષોના ઉદય સાથે સંબંધ ધરાવતું પાપ રૂપ ફળ.] 5. ઉપજીવ્ય દુર્ગાન- એટલે દુષ્ટ ફળ આપનાર કર્મોની પરંપરાથી ઘેરાયેલું દુધ્યનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy