________________
અંતમાં એટલું ઇચ્છી અવતરણિકાથી વિરમીશું કે આ અમારો પ્રયાસ સર્વ સાહિત્યપ્રેમી જનને પ્રિયકર થઈ સુન્દર સુરસ ફળ આપનારે થઈ પડે. આવા પ્રયાસને જે પ્રજા તરફથી સારું સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં ઘણું મૌક્તિકો પ્રજા પાસે મુકવા અમે અમારાથી બનતું કરી શકીશું. હંસરાજ પ્રાગજી બિલ્ડીંગ ) છવણચંદ સાકરચંદ ઝવેરી, ગીરગાંવ, મુંબાઈ મહાશિવરાત્રી, સં. ૧૮૮૩ 5 હું અને બીજા ટ્રસ્ટીઓ.
સદહું ગ્રન્થ બહાર પડે તે પૂર્વે આ સંસ્થાના એક ઉત્સાહી સંચાલકના અકાલ અવસાનની અતિશય દિલગીરી ભરેલી નેંધ લેવાનું કાર્ય અને અમારા કમભાગે પ્રાપ્ત થાય છે. આ કુંડને મહૂમ શેઠ દેવચંદ લાલભાઈ જવેરીના સ્મરણાર્થે સ્થાપનાર અને સંસ્થાના ટ્રસ્ટી ભાઇ ગુલાબચંદ દેવચંદ વેરી ફક્ત આઠ દિવસની ડબલ ન્યુમેનિઆની માંદગી ભોગવીને અકાળે માત્ર ૩૮ વર્ષની ભરયુવાવસ્થામાં સંવત્ ૧૮૮૩ ના ફાગણ સુદ ૫ ને મંગળવાર તા. ૮ મી માર્ચ સને ૧૮૨૭ ના રોજ પિતાની પાછળ પડતાની પત્ની બાઈ જશકોર, ચાર પુત્રે તથા એક પુત્રીને મુકીને દેહમુક્ત થયા છે. વિશેષ દિલગીરીની વાત એ છે કે તેઓનાં પત્ની બાઈ જશકોર પણ માત્ર ઓગણત્રીસ કલાકના વૈધવ્યોગને ભોગવી બીજે જ દિવસે પિતાના પતિને પંથે પત્યાં છે. પરમાત્મા આ દમ્પતીના આત્માઓને ચિરસ્થાયી પરમશાંતિ બક્ષે એજ પ્રાર્થના છે. જવેરી બજાર મુંબાઈ. | જીવણચંદ સાકરચંદ વેચા. તા. ૧ એગસ્ટ ૧૯૪૭ ઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org