SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ વિશેષમાં આખા પ્રધ કોઇ ગ્રંથમાંથી લઇ તેમાંથી પેાતાનું {3 રચવામાં કવિ તે મૂલગ્રંથના આધાર સાથે ખીજા ગ્રંચામાંથી ઉપયોગી હકીકત તેમજ શ્રવણે સુણેલી કથાઓની પણ ગુંથણી કરે છે. આવી ગુંથણી નિર્દોષ છે એટલુંજ નહિ પણુ આવશ્યક છે અને તેથીજ પડિતાએ પ્રબંધને શતમુખ' કહેલ છે. આ માટે આપણા કવિએ પાતાનાં નળદમયંતી રાસ નલાયનહાર અથવા કુબેરપુરાણને જોઇને રચેલ છે એટલુંજ નહિ પણ તે રચવામાં નેમિચરિત્રાદિ ગ્રંથાના તેમજ ભિન્ન ભિન્ન કથાએ શ્રવણુગત થઇ તેને આધાર લીધા છે એ જણાવતાં સાથેજ તે કહે છે કે: એ મિ... અભિનવ મંગલકાર, ગ્રંથ નલાયન પેખી સાર, તેમાંહિ જે પરિ છ અધિકાર, રચિએ રાસ સે લેખ અનુસાર, નમિ ચરિત્રાદિકમાંહિ વળી, કાંઇ એક ભિન્ન કથા સંભલી, માહરૂ દાષ રખે કા લહિ, પ્રબંધ શતમુખ પંડિત કહે ! વિવિધ ભાષાજ્ઞ-મહુશ્રુત કવિ. કવિની કૃતિઓમાં સંસ્કૃત અને પ્રાકૃત સુભાષિતા અને અવતરણા જોવામાં આવે છે-આખા નલદમયંતી રાસ મૂલના સંસ્કૃતગ્રંથને ભાષાનુવાદ છે અને તેમાં હર્ષના નૈષધને પણ આધાર લીધા છે, રૂપદ કુમાર રાસમાં ચેગિનીના વેશ લેનાર વિક્રમચરિત્રની સ્ત્રીના મુખમાં હિંદી!ષા કવિએ મૂકી છે-હિંદીભાષાના અવતરણૢ મૂકયા છે (દાખલા તરીકે પૃ. ૨૨૬-૨૨૭), ઉર્દુખેત પણ પૃ. ૨૦૬પર મૂકેલી છે, કશ્મીરનાં પટ્ટાને ઉલ્લેખ કર્યો છે (પૃ. ૭૮, ૧૫૮). આ પી એ સ્પષ્ટ છે કે આપણા કવિને માતૃભાષા ગૂજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રકૃત, હિંદી, અને ઉર્દૂ ભાષાના અભ્યાસ અવશ્ય હતા. હમણાં નલદમયંતીની એક પ્રત શ્રીમાન મુનિવર્ય મહારાજશ્રી જિનવિજયજી પાસે જોવામાં આવી તેમાં તે અનેક હિંદી પ્રાચીન કવિએનાં કાવ્યા સુભાષિત તરીકે અવતાર્યાં છે. આ સર્વે પ્રસિદ્ધ થઈ શક્યાં નથી એટલી દિલગીરી. આ પરથી તેમજ અનેક લાકકથાને સુંદર આકારમાં મૂકેલ છે,—હિંદુ પુરાણમાંથી વાત દૃષ્ટાંત માટે લીધી છે (પૃ. ૨૮૬ સુરસુંદરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy