SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કે જેમણે સં. ૧૨૮૫માંવિઘપુરી (વીજાપુર)માં શુદ્ધ ક્રિયાથી તપ આદર્યો (યાવચ્છવ આચાખ્ય-આયંબિલ વત વિદ્યાપુરમાં લીધું) તેનાથી તપ (પા) ગચ્છની સ્થાપના થઈ એમ કહેવામાં આવે છે કે જગશ્ચંદ્રસૂરિ દેવભદ્રના મુખ્ય ત્રણ શિષ્યમાંના એક હતા. કેટલાકના કહ્યા પ્રમાણે આઘાટપુરમાં બત્રીશ દિગમ્બરાચાર્યો સાથે વિવાદ કરતાં હીરાની પેઠે અભેદ્ય જણાયાથી રાજાએ હીરલા” જગ ચંદ્રસૂરિ એ નામ ભર્યું. તથા યાવજીવ આચાલ તપને અભિગ્રહ ગ્રહવાથી બાર વર્ષે “પા” નામનું બિરૂદ મેળવ્યું. આ રીતે ૧ નિગ્રંથ ૨ કટિક, ૩ ચંદ્ર, ૪ વનવાસી, ૫ બૃહગચ્છ અને ૬ ડું તપાગચ્છ એનામની અનુક્રમે પ્રવૃત્તિ થઈ.ને તપગચ્છના સ્થાપક જગચંદ્રસૂરિ થયા પણ કર્તાએ પિતાના રૂપચંદ રાસની પ્રશસ્તિમાં તેમનું નામ આપ્યું નથી, પણ તપગચ્છના સ્થાપક તરીકે દેવભદ્ર ઉપાધ્યાય જણાવ્યા છે. આના પ્રમાણમાં બ્રહ્મર્ષિકૃત સુધર્મગ૭ પરીક્ષા જણાવે છે કે વિર થકી અવધારો મને, વરસ ચારસે પંચાવને; ચિત્રાવાલ થકી નીકળ્યા, તપાગચ્છ નામે સાંભળ્યા ૧૧૭ यत:-बारस पंचासीए, छांडय निव निय गुरूण मझ्झायं, विजापुरनयरंमिय तवा मयं देवभद्दाउ ॥१ વિ. સં. ૧૨૮૫ માં પિતાપિતાના ગુરૂની મર્યાદ્રા છેડી, એટલે ચૈત્રવાલ ગરછના જે આચાર્યો તેની મર્યાદા તેડી-ચત્રવાલ ગ૭ થકી અલગ થઈ વિજાપુર નગરમાં દેવભદ્ર થકી તપામત પ્રકટ થયે. વળી ચિત્રગથ્વીય શ્રી દેવભદ્રના શિષ્ય જગચંદ્રસૂરિ હતા એમ પણ ઉલ્લેખ મળી આવે છે છતાં તે સમપ્રભની પાટે ૪૪ મા તરીકે કેમ આવ્યા તે સંબંધી નિર્ણય કરવામાં એક પટ્ટાવલિ ( હેરલ્ડ માસિકના ઐતિહાસિક અંકમાં પ્રગટ થયેલ) જણાવે છે કે ભીલડી નગરીમાં સોમપ્રભને દેવભદ્ર, જગચંદ્રસૂરી અને દેવેન્દ્ર વાંધા, ત્યારે સોમાભે ઘણું ગચ્છના આચાર્યોની સાક્ષીએ સં. ૧૨૮૩ માં જગચંદ્રસૂરિને સ્વચ્છમાં લઈ પિતાની પાટપર સ્થાપન કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy