SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઠેર બળીને થાકી રૂદન કરવા લાગી. આંખ કહેતાં નળે લખેલ લેખ દષ્ટિએ પડે તે વાંચીને જાણ્યું કે નળે પિતાને ત્યાગ કર્યો. પિયેર જવાની પતિઆજ્ઞા વાંચી કુંડીનપુરને રસ્તે ચાલી. આગળ ચાલતાં અજગરના મોંમાં પગ પડ્યા. છેક ગળા સુધી અજગરે ગળી એટલે મરણ કાળ પાસે આવ્યો ધારી “ધમ શરણુ” એમ કહેવામાં કોઈ ભીલ ત્યાં આવી ચઢો. એણે અજગરને વધ કરીને એને મૂકાવી. દમયંતીની રૂ૫ સમૃદ્ધિપર મોહિત થએલા ભીલે એને પિતાને અનુસરવાનું કહ્યું. દમયંતી બેબાકળી થઈ ગઈ અને એની વિવિધ પ્રકારે વિનતિ કરી, આખરે બલાત્કારે અત્યાચાર કરવાને અભિલાષી પિતાના ઉપર ધસી આવતાં ધર્મરતા દમયંતી દ્રિની પ્રાર્થના કરવા લાગી. ઇદ્ર તરત જ પિતાનું વજી મોકલી એને બાળીને ખાખ કરી નાંખ્યો. દુરાચારી પણ ઉપકાર કરનારના મૃત્યુથી દીલગીર થએલી સતી પંચ પર મેષ્ટીનું નામોચ્ચારણ કરી ત્યાંથી આગળ ચાલી. રસ્તે મળેલા વણઝારાઓથી નિરાંત વળી એટલામાં કાંઈક કેતુક થવાથી વણઝાર વિખરાઈ ગઈ અને એકલી સતી આગળ ચાલી. આગળ જતાં એક મુની મહારાજ મળ્યા. એમણે એને શ્રી શાંતિનાથની મૂર્તિ ઉપજાવીને આપી અને એની પૂજા કરતાં એક ગૂફામાં રહેવાને બંધ કર્યો. બિચારીએ ત્યાં પાંચ દિવસ ગાળ્યા. એક દિવસ ચારણી યતિ આકાશ, માર્ગે ઉતરી આવ્યા અને દમયંતીને ‘ડીનપુર જવાની આજ્ઞા કરી. દમયંતી પિયેર જવા નીકળી. રસ્તામાં પિતાની માસીની નગરી ચંપાપુરી આવી ત્યાં ચંદ્રમતી માસીએ એને ઓળખ્યા વગર આશ્રય આપ્યો અને ત્યાં થાળે પડી. અહીં ભીમરાજાના પ્રેરેલા નળને શોધ કરનારા ઘણું પૈકી સુદેવ પાપુરી આવી પહોંચ્યો અને નળના અદશ્ય થયાની હકીકત જણાવી. સુદેવે સતીને દીઠી અને ઓળખી. પરિણમે બધાંને છતી થઈ અને માસીએ સુખે પિયેર પહોંચતી કરી. આમ સતી પિતાનાં સ્વજનોને પ્રાપ્ત થઈ. નળની શોધ સારૂ એણે ચોતરફ માણસે મેકલ્યાં. પિતાની પત્નીને તજવાને માટે પશ્ચાત્તાપ કરતે નળ દુઃખમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy