SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ જશે. મહારાજ ! એ કન્યાનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. દેવકન્યા પણ એના જેવી નથી. એના સુંદર ભાલમાં સ્વાભાવિક ચંદ્રમાનું એંધાણ છે. જે આ કન્યા આપને મળે તે આખી પૃથ્વિને આનંદ થાય. મારા આશીર્વાદ છે કે તમારા મને રથ ફળે અને તમારા બન્નેનું લગ્ન થાય. આમ કહીને પંથી રજા લઈને ત્યાંથી ગયે. જેમ ત્યાં દમયંતીને તેમ જ અહીં નળરાજાને વગર નિહાળે નેહ ઉત્પન્ન થઈ તેવી જ તાલાવેલી લાગી. કશી વાતમાં એનું ચિત્ત ચાંટે નહિ. રાતદિવસ દમયંતીનું જ ધ્યાન. એના વગર સઘળે સંસાર સુને જણાવા લાગ્યો. શું પ્રેમનું પ્રાબલ્ય! અકેક ઈદિની લાલસાથી જ પ્રાણી હેરાન થાય છે; સ્પર્ષ સુખની લાલસાથી મત્ત ગજરાજ બંધન પામે છે; જીવા સ્વાદના મેહથી માછલાં પ્રાણુ ખૂવે છે; ધ્રાણુદિના છંદને લીધે જ ભ્રમર કમળમાં પૂરાઈ હાથીની સૂંઢમાં સપડાઈ પરિણામે પ્રાણુ ગુમાવે છે; નયનાનંદમત્ત પતંગીયું પરવશ થઈ દેહ પ્રજાને છે; કવિ કહે છે કે એક ઇંદ્રિયસુખને આમ સંતાપ છે, તે જેની પચંદ્રિય પરવશ થઈ પડેલી એવા પ્રાણીની કેવી દુર્દશા? આ પ્રમાણે દમયંતી અને નળ એકબીજાનું ચિંતવન કરતાં સતાં વિરહવાલામાં સેકાતાં હતાં. તેવામાં આસો શુકલપક્ષમાં અહીના નવરાત્રિના ઉત્સવ ઉપર શારદા દેવી પિતાના હંસ ઉપર આરૂઢ થઈને સખીઓ સહવર્તમાન મેરૂ પર્વત સિદ્ધાયતન જિનેશ્વરની વાંદના કરવા પધાર્યા; તેણે કનકાચલ શિખર પર જઈને સિદ્ધાયતન જિનેશ્વરજીને વાંદયા. ત્યાંથી પાંડુક વન જઈ સિદ્ધાયતન જિનેશ્વરજીની સાશ્વત મૂર્તિના પાકમળની પૂજા કરી. ત્યાં હસી રમીને બધી દેવીઓ પાછાં જવાનું કરતી હતી તે વખત બીજી દેવીના વાહને શારદાદેવીને જણાવ્યું કે ભાજી આપને વાહન બાલચંદ્ર હંસ પિતાની સમકળા નામની હંસીની સાથે કમળજાળમાં ક્રિીડા કરે છે અને અહીં હાજર નથી. શારદાદેવીને આથી ક્રોધ ચઢ, એટલામાં જ ક્રીડાથી શ્રમિત રક્તનયનવાળ હંસ હાજર થયા. તીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy