SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ આજે આ છ મક્લિક પ્રજા સમ્મુખ રજૂ કરવામાં આવે છે. મિત્રોની ઈરછાથી અનેક વ્યવસાય અને કૈટુંબિક આધી વ્યાધીઓમાથી કડકે બચકે ચોરી લીધેલી ક્ષણેને આ છ મક્તિકને સારૂ ઉપેહવાત લખવામાં સદ્ભપગ કરવા હું ભાગ્યશાળી થશે છું. આ મૌક્તિકમાં (૧) રૂપચંદ કુંવર રાસ (૨) નળ દમયંતી રાસ અને (૩) શ્રી શેજ્ય ઉદ્ધાર રાસ એટલાં કાવ્યને સમાવેશ કરાયેલ છે. આ સઘળાં કાવ્ય ધર્મના અંગનાં હોઈને તેને હેતુ બર લાવવામાં કવિએ કચાશ રાખી નથી. “વિક્રમ ચરિત્ર કરતાં સ્ત્રી ચરિત્ર વધે ” એ વાત સાબિત કરતાં રૂષચંદને જન્મ, નાનપણ, કેળવણી, પરાક્રમ અને છેવટે સહુથી ઉપગી તેની ધર્મસાધના અને ભક્તિ વર્ણવી છે. રસની જમાવટ એવી છે કે આરંભ કર્યા પછી પૂરું કર્યા વગર કાવ્ય હાથમાંથી મુવુિં ગમે નહિ. શ્રીમદ્દ વ્યાસ ભગવાનની મનહર વાણુથી કોણ મેહ પામ્યું નથી ? એમની સાદી, સરળ અને રસમય બાનીએ ઘણું ઘણું કવિજનને પણ મુગ્ધ કર્યા છે. તેમણે લોપાખ્યાનની મનેહરતાથી મેહીને પિતાની વાણીમાં તેને ફરી વર્ણવ્યું છે. નળપાખ્યાનના વસ્તુ ઉપરથી સંસ્કૃતમાં કાવ્ય રચાયાં છે, જેમાં શ્રી હર્ષનું નૈષધ મૂખ્ય છે. કાવ્યો સિવાય નોપાખ્યાન ઉપરથી ગદ્યગ્રં, નાટક અને ચંપૂ પણ અસ્તિત્વમાં આવ્યું છે. માત્ર સંસ્કૃત કવિ જ નહિ, પણ પ્રાકૃત લખનારા જૂના ઘણું કવિએ પણ નળાખ્યાનને પિતા પોતાની વાણમાં પુનઃ પુનઃ ગાયું છે. દરેક જાતના સાહિત્યસરમાં અવગાહન કરનારા જૈન કવિઓને પણ આ વસ્તુ મનહર લાગ્યું છે. મેઘરાજ, નયનસુંદર, માણેકસૂરી, રૂષિવર્ધન, હર્ષરત્ન એમ ઘણુએ પિતે જુદું જુદું નામ આપીને સંસ્કૃતમાં અગર પ્રાકૃતમાં–ગુજરાતીમાંનળાખ્યાન રયાં છે. જૈનેતર કવિમાં ભાલણ અને પ્રેમાનંદનાં રચેલાં નળાખ્યાન ઉપલબ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy