SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ હીરના સાધુ. (૨૯૯ ). નર આચ્ચે પરદેસથી, માંની ભગતી નારી; ચૂડી કરીયે વારડી, રંડા સીરી ઠારી. ઋષભદેવ નર આપણે આપણુ બેહુએ નારી; પૂજે તે પદવી લહે, ભુંડી સારવણ ઠારી. નૃપ રી કહે ઋષિ ભલે, આજ ઉતાર્યો નાદ; નિત્યે પ્રતિમા ઉથાપતે, કરતો બહુર્યું વાદ. વાદિ દિગંબર જીતીઓ, ખમણે થાપે જાય; આહાર નહિ નર કેવળી, નારી મુગત્યને હાય! ૧૬ ૧ પ્ર“ભૂંડી કરી દીયે વારડી.” ૨ ખમણ, શ્રમણ, સાધુ, દિગમ્બર સાધુઓ કેવલીને આહાર નહિ અને નારીને મુક્તિ નહિ તેવી સ્થાપના કરે છે. ૩ મુક્તિ, મોક્ષ. જેનધર્મમાં દિગંબરનામા પન્થ છે, કે જેઓ દિશાનેજ અંબરવત્ર માની આંગ ઉપર વસ્ત્ર ધારણ કરતાં નથી આ લેકની એવી વિપરીત માન્યતા છે કે કેવલીને-કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલાં મનુષ્યને આહાર-ખોરાક હેત નથી તેમજ સ્ત્રીલિંગે મોક્ષ મળતું નથી. અર્થાત સ્ત્રીઓને મોક્ષ નથી. આ માન્યતા કેટલે અને કયે અંશે સિદ્ધ છે તેનો વિચાર સુજ્ઞ વાંચકોને સોંપીયે છિયે. તથાપિ સાધારણ બુદ્ધિથી એટલું તો ખરંજ કે દેહધારી કેવલીને આત્મા આહાર વિના કેટલે સમય ટકી શકે ! કેવલજ્ઞાન પ્રાપ્ત થવાથી કાંઈ દહ છુટતો નથી, અને દેહને ટકાવી રાખી અન્ય ઘણું ઉપકારી કામે કરવા માટે દેહને આહાર આપ્યા વિના ચાલતું નથી. શ્રી મહાવીરે પિતે બારવર્ષ મૈનપણે ગાલ્યાં, અને કેટલાટ તપ કર્યો તો પણ ગાળે ગાળે આહાર વિના ચાલ્યું નહિ ! શ્રદ્ધને પણ ઘણે વખત સુધી તપ કર્યા છતાં પણ અંતે આહાર વિના ન જ ચાલ્યું, એ વાત પણ પ્રસિદ્ધ છે. તે પછી દેહધારી સામાન્ય કેવલીઓને આહાર વિના કેમ નભે ? એને વાંચકે વિચાર કરશે. સામાન્ય દૃષ્ટિથી એ પણ વિચારાશે તો જણાશે કે મેક્ષ પુરૂષને જ હોય, અને સ્ત્રીઓને કેમ ન હોય ! સ્ત્રીઓમાં શક્તિની કોઈ ઉણપ હોતી નથી. સ્ત્રી અને પુરૂષો અને સ્વવીર્ય ફરવાને સરખી જ શક્તિવાલા હોય છે. વ્યાવહારિક દૃષ્ટિથી જે જોવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy