________________
૭ ઉદયરત્ન, તેમણે ઘણું રાસ, સ્તવન, તથા સઝાયો બનાવ્યા છે. તેઓ “ શીઘ્રકવિ ” હતા અને ગુજરાતમાં અત્યંત માન પામ્યા હતા. તેમને વિહાર ગુજરાતમાં હતે. ખેડા ગામમાં તેઓ વિશેષ રહેતા હતા. મીઆગામમાં તેઓ કાલ કરી ગયા હતા.
૮ પતિ મોહન વિજ્ય. એમણે પણ માનતુંગ માનવતી, ચંદરાજાને રાસ વગેરે કેટલાક ગુજરાતી રાસ રચ્યા છે. પોતે તપગચ્છીય હતા.
૯ અન્યધર્મ કવિ તુલસીદાસ. વિક્રમ સંવત ૧૭૫૯ સુધી વિદ્યમાન હોય તેમ જણાય છે. એમણે અનેક અનુભવનાં કાવ્ય ગાયાં છે. હિન્દુસ્તાની ભાષાના તે ઉત્તમ કવિ હતા. તેમની બનાવેલી ચોપાઇઓ સર્વત્ર પ્રશસ્ય ગણાય છે. ચંદ કવિના છંદ, સુરદાસન પદે, બિહારીદાસના દુહાઓ પ્રસિદ્ધ છે તેમ પાઈઓ માટે તુલસીદાસ સર્વત્ર પ્રસિદ્ધ છે. તુલસીકૃત રામાયણ આજ મહા પુરૂષનું ચેલું છે.
૧૦ જેનેતર કવિ પ્રેમાનન્દ. પ્રાયઃ સર્વ કવિઓમાં વિશેષ પ્રસિદ્ધિને પ્રેમાનન્દ પામ્યા છે. તેઓ વડેદરા, ડભોઈ અને સુરત વગેરેમાં વિશેષ રહેતા હતા કવિ શામળ ભટ્ટ અને અખાની કવિતાઓ : કરતાં પ્રેમાનન્દની કવિતાઓ વિશેષ વખણાય છે. શ્રૃંગારરસનું પ્રેમાનન્દુ સારી રીતે વર્ણન કરનાર હતા. જૈન કવિયો તથા જૈનેતર, કવિ તે સમયમાં સારી સંખ્યામાં ઉત્પન્ન થયા હતા.
રાસ રમ્યા ની સાલ. સંવત સત્તરસે પંચાવન આષાઢ વદિ પાંચમ બુધવારના દિવસે જિનહર્ષજી કહે છે કે મેં રાસ સંપૂર્ણ કર્યો.
संवत सत्तरेसें पञ्चावने पांचिम वदि आसाढ;
रास संपूर्ण बुधवारे थयो में कीधो करी गाढ. રાસ લખાયાની સાલ. થર્ જય રાસ લખાયાની સાવ બીજિનહર્ષે પિતાના હસ્તાક્ષરે નીચે પ્રમાણે લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org