________________
નામની ટીકા તેમણે રચી છે. દ્રવ્યાનુયોગ, ચરિતાનુગ, ગણિતાનુયોગ, આદિ ગવડે ભરપુર “ લોકપ્રકાશ” નામને તેમણે અભુત ગ્રન્થ લખે છે. તેમાં દ્રવ્યલોક, ક્ષેત્રક, કાળલોક, અને ભાવક સંબંધી ઘણું હકીકતો સાતમેં ગ્રન્થમાંથી લેવામાં આવી છે. તેમણે “શાન્ત સુધારસ” નામને ગ્રન્ય, શ્રીશ્રીપાળને રાસ અને વિનયવિલાસ વગેરે ગ્રન્થ રચ્યા છે. ક૯પસૂત્રસુબાધિકા આ ફંડમાંથી ઝળ્યાંક ૭ માં તરીકે અને કલ્પસૂત્ર મૂલ અંક ૧૪મા તરીકે છપાયા છે.
૫. વિજયપ્રભસૂરિ, તપાગચ્છમાં એ મહાન વિદ્વાન હતા, તે વખતની લખેલી પટ્ટાવલિમાં તેમણે “તમાવતાર ” ગણવામાં આવ્યા છે. જન્મ કરછમાં દીક્ષા ૧૬૮૬ માં પન્યાસપદ ૧૭૦૧ માં સૂરિપદ ૧૭૧૦માં અને સ્વર્ગગમન સંવત ૧૭૪૯ માં થયું.
૬ સત્યવિજયપભ્યાસ. તેમણે બાળ વયમાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓને પંન્યાસપદ ૧૭૨ ૮ સેજતપુરમાં વિજયપ્રભસૂરિએ આપ્યું. શ્રી સત્યવિજય પંન્યાસ અને આ રાસના કર્તા શ્રીજિનહર્ષ– અને ઘણે પરસ્પર સંબંધ હોય એમ લાગે છે. શ્રી સત્યવિજયપંન્યાસના ગુણાનુરાગી શ્રીજિનહર્ષજી હતા એમ તેમણે રચેલા
સત્યવિજયનિર્વાણુ ” ઉપરથી માલુમ પડે છે. ખરતરગચ્છ અને તપાગચ્છના આચાર્યોને પરસ્પર મેળ નહોતો તથાપિ પરસ્પર ગુણાનુરાગ હતો એમ “સત્યવિજય નિર્વાણુ” ઉપરથી અવધાય છે. સત્યવિજય પંન્યાસનું નિર્વાણ શ્રીતપાગચ્છમાં તસમયે થયેલા પંડિતોએ કેમ ન લખ્યું એ એક ચિંતનીય વિષય છે. તપાગચ્છના પંડિત સાધુઓ શ્રીમાન સત્યવિજય પંન્યાસના રાગી હતા તથાપિ શા કારણથી તેમનું જીવનચરિત્ર તેઓએ ન લખ્યું તે વિચારવા યોગ્ય છે. કદાપિ એમ પણ હેય કે સંવેગ પક્ષી પંન્યાસજીનું નિર્વાણ તે સમયના આચાર્યોએ પિડિત પાસે ન લખવા દીધું હોય, કારણ કે તેઓ પીત વસ્ત્રધારી હતા, માટે એમ સંભાવના થવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org