________________
૫૯
તેઓ ગુણાનુરાગી હતા એમ સત્યવિજય પંન્યાસના નિર્વાણ
નામને ગ્રન્યરચ્યાથી સિદ્ધ થાય છે. તપાગચ્છીય ગુણરાગ મુનિઓએ ખરતરગચ્છીય કાઈ મુનિને નિર્વાણ
ગ્રન્ય રો હેય એવું અઘપર્યન્ત જાણવામાં આવ્યું નથી. સત્યવિજય પંન્યાસના નિકટ સંબંધમાં આવ્યાથી તેમને તેમના ગુણોને પરિચય થયો હશે. શ્રી સત્યવિજયપંન્યાસે વૃદ્ધાવસ્થાથી છેવટનાં ઘણું ચોમાસાં પાટણમાં કર્યા હતાં, અને તે વખતે શ્રીજિનહર્ષ પણ ત્યાં રહેતા હતા, તેથી પરસ્પર સબંધ થવાથી ગુણાનુરાગ વધ્યો હોય એમ સંભવે છે. ખરતરગચ્છીય શ્રીજિનહર્ષે તપાગચ્છના મુનિનું નિર્વાણ લખીને ગુણાનુરાગ પરસ્પર ગચ્છના મુનિમાં રાખો એમ દર્શાવ્યું છે તે વર્તમાન તથા ભવિષ્યના સાધુઓને શીખવા માટે સરસ દષ્ટાન્ત છે. ખરતરગચ્છીય શ્રીમાન દેવચક્કે તે સમયમાં શ્રીયશવિજય ઉપાધ્યાયકૃત “ જ્ઞાનસાર ” ગ્રન્થપર “જ્ઞાનમંજરી” ટીકા રચીને ગુણાનુરાગનું સરસ દષ્ટાન્ત ખરેખર જૈનસમાજ આગળ રજુ કર્યું છે. તે કાલમાં તપાગચ્છમાં શ્રીયશવિજયઉપાધ્યાયે ગુર્જરભાષામાં
અનેક ગ્રન્થ લખ્યા હતા, તેમના સંબંધમાં પ્રશસ્યસ્પર્ધા. આવ્યાથી શ્રીમાનજિનહર્ષને રાસાઓ
લખવાની અભિલાષા ઉત્પન્ન થઈ હોય એમ સંભવે છે. શ્રીમાન યશોવિજય અને પંન્યાસ સત્યવિજયના પરિચયમાં આવ્યાથી તેમનામાં ગુણુનુરાગ વિશેષ પ્રકારે પ્રગટ હોય અને તેની સાથે રાસાઓ રચવાની પ્રેરણા થઈ હોય એમ સંભવે છે. તપાગચ્છીય વિધાનની પેઠે ખરતરગચ્છીય વિદ્વાનોએ પણ રાસાઓ રચીને ગરછની ઝાહેઝલાલી વર્તાવવી જોઈએ એમ શ્રીજીનચંદ્રસૂરિએ પ્રેરણા કરી હોય તેથી સ્પર્ધા પ્રવૃત્તિદષ્ટિએ રાસાઓ રચવાની પ્રવૃતિ ખરેખર તેમના હૃદયમાં સ્કરી હોય વા અનુકરણ પ્રવૃત્તિ એ કાવ્યશક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org