________________
રૂપાંતર અને નામાંતર નામનાં ઉદાહરણવિમળાચલ બદલે વિમળાદ્રિ. સહસાખ્ય બદલે સહસ્ત્રકમળ. મહાગિરિ બદલે મહાચલ. સુરકાંત બદલે સુરપ્રિય.
ઈત્યાદિ. સિદ્ધાચલ ઉપર શ્રી આદિનાથ ભગવાન પૂર્વનવાણુંવાર ચઢયા હતા, અને તેમનાં પગલાં હાલ રાયણતળે વિરાજમાન છે. જે મનુષ્ય સંઘપતિ થઈને સિદ્ધાચલતીર્થની યાત્રા કરે છે તે આસન્નકાળમાં મુક્તિ જનાર હોય છે તો રાયણના વૃક્ષમાંથી તેના ઉપર દૂધ ઝરે છે. ઋષભદેવભગવાન કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધાચલ ઉપર પધાર્યા તેવારે બાર વર્ષદા આગળ સિદ્ધાચલનું માહાભ્ય વર્ણવ્યું હતું.
- સિદ્ધાચળ પર મુક્તિ પામનારાએ.
શ્રીઅજીતનાથ ભગવતે સિદ્ધાચલ પર ચેમાસુ કર્યું હતું. શ્રીસાગરમુનિએ એક કોડના પરિવાર સાથે સિદ્ધાચલપર કર્મના પાશ તેડ્યા હતાં ભરતરાજાએ કેવળજ્ઞાન પામીને પાંચ કોડ મુનિના પરિવાર સાથે ત્યાં સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું હતું. શ્રી આદિનાથને ઉપગારથી અજીતસેને સિદ્ધાચલપર સત્તર કેડ મુનિના પરિવારની સાથે શિવપદ પ્રાપ્ત કર્યું હતું.
ચત્રસુદિ પૂનમના દિવસે દશ હજાર મુનિ ત્યાં મુક્તિ પદને પામ્યા. આદિત્યયશા શ્રીસિદ્ધાચલ પર એક લાખમુનિની સાથે શિવપદને પામ્યા. સોમયશા તેર કેડની સાથે અને નારદજી એકાણું લાખની સાથે ત્યાં સિદ્ધિપદ પામ્યા. વસુદેવની પાંત્રીસ હજારનારીઓ શ્રીસિદ્ધાચલ પર મુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org