SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજયરાસ પરથી એતિહાસિક વૃત્તાંત પર અજવાળું પડે છે. જાવડ વગેરેના વહાણે મહાચીન ચીન અને ભેટ વગેરે દેશમાં જતાં હતાં તેથી એમ સમજાય છે કે સમયે આર્યાવર્તમાં વ્યાપાર સભર ચાલતે, અને હિંદુસ્તાન ધનથી સમૃદ્ધ હતું. હિન્દુસ્તાનમાં વહાણ બનાવવાની વિદ્યા ઘણું કાળથી હતી એમ શત્રુંજયમાહાઓમાં આપેલા એક વેપારીના કથાનક ઉપરથી સિદ્ધ થાય છે. તે વેપારી ઘણું જુના વખતને હતે. હિન્દુસ્તાનમાં યુદ્ધ કળામાં વપરાતા અસ્ત્ર શસ્ત્રની વિદ્યા, ઘણાકાળથી પ્રવર્તતી હતી એવું રામરાવણના, અને પાંડવકારવના યુદ્ધથી સિદ્ધ થાય છે. હિન્દુસ્તાનમાં અનેક સતીઓ થઈ ગઈ તથા અનેક પ્રકારના સુધારા થયા એવું શત્રુંજયમાહાત્મગ્રન્થથી સિદ્ધ થાય છે. હિન્દુસ્તાનમાં આ અવસર્પિકાળમાં જેનરાજા ભરતથી જૈનમન્દિરે કરાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ અને તે અદ્યાપિ પર્યત પ્રવર્યા કરે છે. આ અવસર્પિણીકાળમાં તીર્થની યાત્રા માટે સંઘ કાઢવાની પ્રવૃત્તિને આરંભ શ્રીભરતરાજાથી થયેલ છે, એમ શત્રુંજયમાહાસ્ય વાંચતાં તરત માલુમ પડે છે, ઈત્યાદિ અનેક વૃત્તાંતેનો બોધ આ ગ્રન્થને વાચતાં વાચકને થાય છે, અને તેથી આત્માથીજનેને સિદ્ધાચલતીર્થ પર અત્યંત ભાવ ઉત્પન્ન થાય એમાં નવાઈ શી? તેમજ શત્રુંજય માહાસ્ય વાંચતા આર્યદેશની મહત્તાને ખ્યાલ વાચકેના હૃદયમાં તુર્ત ઉત્પન્ન થાય છે અને પવિત્ર તીર્થોપર તથા આર્યદેશ ઉપર અત્યંત પ્રેમ ઉદ્ધવે છે. સિદ્ધાચલના અનેક વખતે નાના મોટા ઉદ્ધાર થએલા છે તેમાંથી મુખ્યનાં નામ નીચે પ્રમાણે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy