________________
૩૨
કનકવંશી ગણાતે તે અને વલ્લભીપુરની ગાદી પર બેસનાર ધ્રુવસેન ૧ લે એ બે એકજ હોય એમ સંભવે છે, અને તેથી વલ્લભીપુર કે સેરઠનું રાજ્ય, અને વડનગર કે જે ગુજરાતની રાજધાની એ બેને રાજા ધ્રુવસેન એક સંભવે છે. આ સંબંધમાં વિશેષ પ્રમાણે મળતાં ભવિષ્યમાં વિશેષ સમાધાન માટે પ્રયત્ન થાય એવી આશા રહે છે. અત્ર આપણે એટલું જ જવાનું છે કે “ધ્રુવસેન રાજા જૈન હતું તેથી તેના રાજ્યમાં ગુજરાત અને કાઠિયાવાડમાં જૈનેની જાહેજહાંલી વર્તાતી હતી.” શત્રુંજ્યમાહાભ્યમાં લખ્યા પ્રમાણે જે શિલાદિત્ય રાજા થયે તેના પશ્ચાતું આ ધ્રુવસેન રાજા થયે એમ સંભવે છે. તત્સંબંધી ચર્ચા વિષે હજી ઘણું વિચારવાનું કહેવાનું બાકી રહે છે. ( આ પ્રમાણે ધનેશ્વરસૂરિના સમયના, તથા આગળ પાછળના રાજાઓ, જૈનાચાર્યો, દેશ, ધર્મ, દેશની સ્થિતિ, મનુષ્યની સ્થિતિ, તસમાનકાલીન આચાર્યોએ કરેલા મહાન કાર્યો, ધર્મવાદે,અને પરદેશી રાજના હુમલા ઉપર કઈક સારૂં અજવાળું પડે છે. ધનેશ્વરસૂરિ સંબધી પ્રસંગોપાત્ત લખતાં બીજા ધનેશ્વરસૂરિએ સંબંધી કહેવામાં આવે છે. બીજા એક ધનેશ્વરસૂરિ ચિત્રવાલગચ્છમાં ” થયેલા છે તે પૂર્વે “ રાજગચ્છીય હતા; પશ્ચાત ચિત્રપુરમાં પ્રતિષ્ઠા કરાવ્યાથી તે ચત્રવાલગછીય થયા. તે આશરે બારમા શતકમાં થયા છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org