________________
છે કે નઠારો તે કઈ જાણતું નથી એવા એક રંક નામના વેપારીના ભમાવ્યાથી, પૃથ્વીના મહાન ઈસમાન અશ્વપતિ સૂર્યના પુત્ર શિલાદિત્યપર ચઢાઈ કરવા નીકળે નહીં.” રાજા સુખદાયક ઔષધના જેવા વચન સાંભળી બીજે દિવસે આગળ વધ્યો નહિ, પછી રંકના સમજવામાં ખરું કારણ આવ્યું એટલે બહીને ચાકરની ઈચ્છા પ્રમાણે મહોર આપીને તેને તૃપ્ત કર્યો, ત્યારે તે રાજાની હુજુરમાં બીજે દિવસે ઉપરના જેવો લાગ જોઈને બોલે કે “વિચારીને કે વિના વિચારે એકવાર પગલું ભર્યું તે ભર્યું તે હવે આગળ ચાલવામાં શે બાધ છે? જ્યારે સિંહ રમતાં રમતાં પણ હાથીને નાશ કરી શકે છે તે પછી તેને મૃગપતિ અથવા મૃગવધ કરનારનું નામ ધારણ કરી શા માટે હલકા પડવું જોઈએ? આપણુ રાજાનું પરાક્રમ અપાર છે એના સામે કેણ ટક્કર લઈ શકે તે છે??? આવા વચનથી ખુશી થઈ તે સ્વેચ્છરાજા ડંકાના ગડગડાટથી આકાશ અને પૃથ્વીને ગજવી દેતે આગળ ચાલ્યા. આણગમ વલભીમાં સંકટ આવી પડવાનું છે એવું જાણીને શ્રીચંદ્રપ્રભુ શ્રીવર્ધમાનદેવ અને બીજી મૂતિએ શિવપટ્ટણ (પ્રભાસ) શ્રી માલપુર અને બીજા નગરે ભણી રસ્તે લીધો.
- ફાર્બસ રાસમાળામાં “ મૂર્તિએ અન્ય નગરભણ રસ્તા લીધે” એમ છે પરંતુ તત્ર એમ સમજવું કે મલેચ્છોને ઉપદ્રવ થનાર હોવાથી શાસનદેવ, તીર્થકરની મૂર્તિને અન્ય નગરમાં લઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org