________________
બર જૈને હારે તે તેમને અને અમે હારીએ તે અમને દેશ વ્હાર કરવા.” રાજા બનેની સભામાં પ્રમુખ થયે, બનવા કાળથી બદ્ધોનો જય થ અને તાંબરને બહાર જવું પડયું, પણ તાંબરેએ આશા રાખી કે ફરીથી કોઈ વેળા વાદ કરીશુ શિલાદિત્ય ત્યારથી બદ્ધધર્મ પાળવા લાગ્યો પણ તે શત્રુંજયના મહાન તીર્થ અને કષભદેવને પૂર્વ પ્રમાણે માનતા હતે.
મલવાદિની બેપર છત. શિલાદિત્યે પિતાની સાથે જન્મેલી બહેનને ભગુપુર (ભરૂચ) ના રાજા વેરે પરણાવી હતી તેને દેવકાતિસમાન ગુણી પુત્ર થયે. કેટલા દિવસ વીત્યા પછી પિતાને ધણી મરી ગયે એટલે તેણે કઈ તીર્થમાં જઈને ગુરૂ પાસે શ્વેતાંબર ધર્મની દીક્ષા લીધી. તેને દીકરે પણ આઠ વર્ષની વયે દીક્ષા લઈ બેઠે પછી તેઓને જેમ પ્રસંગ મળતે ગમે તેમ કેટલાક ડાહ્યા મનુષ્યના મુખ આગળ પોતાના તરફના અભિપ્રાય જણાવવા માંડયા. એક દિવસે પેલા છોકરાનું નામ મલ્લ હતું, તે પિતાની સાથ્વી મા પ્રતિ ઘણી આતુરતાથી કહેવા લાગ્યું કે શું આપણું ધર્મ પાળવાવાળાની અવસ્થા મૂળથીજ આવી માઠી છે ?” તેણુએ આંખમાં અશ્રસહિત પ્રત્યુત્તર આપે કે “મારા જેવી પાપિણી તને શું ઉત્તર
* ફાર્બસ રાસમાળામાં આઠ વર્ષની ઉમરે દીક્ષા લેવાનું લખ્યું છે પરંતુ જૈનાગમના આધારે નવ વર્ષ થયા બાદ દીક્ષા આપવાનું લખ્યું છે માટે નવ વર્ષની ઉપર દીક્ષા લીધી એમ હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org