________________
પર પધરાવી અને એકવીશ વખત મિથ્યાત્વિદેવોએ હેઠળ ઉતારી. સ્વામીએ (નવા કપદયક્ષ) યક્ષેશનું સ્મરણ કર્યું અને પ્રભુની પ્રતિમાને ઊપર લઈ ગયા. સર્વ સંઘે પ્રતિમાની પાસે રાત્રી જાગરણ કર્યું. પ્રભાતમાં પ્રભુની પ્રતિમાને પ્રાસાદમાં લેઈ શાનિકર્મ તથા પ્રતિષ્ઠાકમપૂર્વક પ્રતિષ્ઠા કરી. શ્રીવજીસ્વામીએ મવડે અસુરદેવતાઓને સ્થભિત કર્યા તેઓએ પર્વતને ઘણે કંપા પણ અને હારીને નાસી ગયા (પૂર્વના કપર્દીયક્ષે નાસી પ્રભાસક્ષેત્રમાં જઈ વાસ કર્યો.) અને શાન્તિ પ્રવતી. શ્રીજીષભદેવભગવાનની પ્રતિષ્ઠા થયા બાદ વજા, આરતી, અને મંગલદી કરવામાં આવ્યા. ધ્વજાનું આરોપણ કરવા માટે સંઘનાયક જાવડશેઠ જિનમન્દિરના શિખર ઉપર ચડ્યા, જાવડશા શેઠ અને તેની સ્ત્રીએ શત્રુંજયને ઉદ્ધાર કર્યો તેથી બંનેને મનમાં અત્યંત ભાવના પ્રગટી. શેઠ અને શેઠાણીના મનમાં અત્યંત હર્ષ ઉત્પન થવાથી હદય ફાટી ગયું. તેઓ બને મરી ચોથા દેવલોકમાં ગયા. જાવડના પુત્ર જાઝનાગના મનમાં માતા પિતાના મૃત્યુથી અત્યંત ખેદ ઉત્પન્ન થયા અને સંઘના મનમાં પણ અત્યંત ખેદ ઉત્પન્ન થયો. શ્રીચક્રેશ્વરીદેવીએ જાઝનાગના મનનું, વૈરાગ્યને બંધ આપી સાત્વન કર્યું અને સંઘની સાથે તથા ગુરૂની સાથે ગિરનાર, આબુજી વગેરે અનેક તીર્થની યાત્રા કરી. શ્રીજાઝનાગે અનેક જિનમંદિરે કરાવ્યાં. વિક્રમ સંવત્ ૧૦૮ એકસો આઠની. સાલમાં જાવડશાએ સિદ્ધાચલને ઉદ્ધાર કર્યો ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org