SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં ભરેલુ. લાતું સુવર્ણ થઈ ગયુ.. અઢાર વહાણા સેાનાથી ભરેલાં તેના પ્રવેશ કાળેજ મહુવા નગરીમાં આવ્યાં, તત્સમયે ગામની બહાર વસ્વામી મહારાજા પધાર્યા એવી એક પુરૂષ જાવડને વધામણી આપી. બાર વર્ષે પેાતાને ઘેર વહાણ આવ્યાં અને એક તરફ ગુરૂમહારાજ આવ્યા તેમાં પહેલાં કેની પાસે જવું. તત્સ`ખ`ધી જાવડશા વિચાર કરવા લાગ્યા. જાવડે વિચાર કર્યાં કે “ લક્ષ્મી ચંચળ છે અને પાપથકી ઉત્પન્ન થાય છે, મુનિ તે પુણ્યરૂપ છે તેમને નમસ્કાર કરવાથી આભવનું અને પરભવનુ કલ્યાણ થાય છે ” એવા વિચાર કરીને જાવડેશા પ્રથમ શ્રીવજીસ્વામીમહારાજને વન્દન કરવા ગયા. શ્રીવજીસ્વામીમહારાજે જાવડશાની આગળ સિદ્ધાચલપ્રભાવનુ વર્ણન કર્યું અને જાવડેને સિદ્ધાચલના ઉદ્ધાર કરવા પ્રેરણા કરી. જાવડશા સંઘ કાઢીને શ્રીસિદ્ધાચલ ગયા અને શ્રીવજીસ્વામી ગુરૂની સાથે સિદ્ધાચલપર્વત ઉપર આરોહણુ કરવા લાગ્યા. તે વખતે મિથ્યાત્વિદેવતાઓએ સિદ્ધાચલ પર્વતને પાળ્યા. શ્રીવજીસ્વામીએ શાન્તિકર્મ કરીને અધમદેવતાઓને દૂર કર્યાં. માંસ, મજજા, આદિ વડે યુકત પર્વતને દેખી સર્વેનાં મન ખિન્ન થયાં. શ્રીજાવડે નદીનું પાણી મંગાવીને સિદ્ધાદ્રિનું પ્રક્ષાલન કર્યું. પતીત ભ્રષ્ટ અને ઘાસ ઊગેલા પ્રાસાદો દેખીને સઘાધિપ જાવડે મનમાં ઘણું ખેદ પામ્યા. રાત્રી સમયે મિથ્યાત્વદેવાએ પ્રભુની પ્રતિમા અદૃશ્ય કરી પર્વતથી હેઠળ ઉતારી. એકવીસ વખત જાવડશાએ પ્રભુની પ્રતિમાને સિદ્ધાચલ Jain Education International ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy