________________
માટે જે આત્મસ્વાર્પણ અને સત્યાગ્રહ દર્શાવ્યું છે તે બહુ મનન કરવા ગ્ય છે. પાંડે અને કેરેના સમયમાં ભારતની અત્યંતન્નતિ હતી એ પાંડવે. અને કૌરવોનું વૃત્તાંત વાચતાં સમ્યગૂ સમજાય છે. શ્રી પાર્શ્વનાથના સમયમાં અજ્ઞાન તપસ્વીઓની કેવી સ્થિતિ હતી તે કમઠની વૃત્તાંતથી સારી રીતે સમજી શકાય છે. અતિ ઉન્નત અવસ્થાને પામેલો રાવણ, પરસ્ત્રીના પ્રેમથી કેવી અધમદશાને પામે છે, અને તેના જેવા બેહાલ થાય છે, રામને ન્યાયથી જગમાં કેટલો બધો પ્રભાવ પડે છે, તથા સીતાના ઉપર કલંક આવતાં પણ તે શીયળના પ્રભાવથી જગત્માં નિષ્કલંકતાની સાથે કેટલી બધી પ્રખ્યાતિને પામે છે તેનું આબેહુબ સ્પષ્ટ વર્ણન આ રાસમાં કરવામાં આવ્યું છે. ભરતરાજાથી માંડીને જાવડ સુધીના જે જે ઉદ્ધાર થયા તેનું આ રાસમાં સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ભાવડનું વર્ણન દેશિક ઇતિહાસને માટે ઉપયોગી છે. ભાવડ પૂર્વ ધનવાન વણિક ગૃહસ્થ હતે, પશ્ચાત્ તે ગરીબ થઈ ગયે પણ તેનું સત્વ ગયું નહતું. તે ત્રણકાળ જીનેશ્વરનું પૂજન કરે, બે સંધ્યાએ પ્રતિક્રમણ કરતો અને ત્રણેકાળ ગુરૂનું વંદન કરતે હતો. એક વખત તેને ત્યાં બે મુનિ હેરવાને માટે આવ્યા, એ બે મુનિને હરાવીને તેની સ્ત્રીએ ધનની પ્રાપ્તિ કેવી રીતે થાય તેનું કારણ પૂછયું, તેમાંના એક મુનિયે તેના ઘેર એક ઘડી વેચાવા આવશે તેના લેવાથી ધનની વૃદ્ધિ થશે એમ કહ્યું, તેમજ વિશેષ જણાવ્યું કે તેના દ્રવ્યથી ત્યારે પુત્ર શત્રુંજયને ઉદ્ધાર કરશે. ભાવડશા શેઠે એવી વાણી પિતાની સ્ત્રી પાસેથી સાંભળીને પોતાને ઘેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org