SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાત્ વિક્રમ સવત્ ૪૭૭ અને વીર સ'વત્ ૯૪૭માં સૈારાષ્ટ્ર દેશ તિલકભૂત વલ્લભીપુરનગરીમાં વિરાજીત શિલાદિત્યરાજાની વિજ્ઞપ્તિના સ્વીકાર કરીને શ્રીધનેશ્વરસૂરિએ નવ હજાર શ્લોકપ્રમાણ શત્રુજયમાહાત્મ્ય ગ્રન્થની સારભૂત સંક્ષેપમાં રચના કરી. (૩) તપાગચ્છીય શ્રીહ’સરત્નસૂરિયે પણ, સસ્કૃતમાં ગદ્યાત્મક શ્રીશત્રુજયમાહાત્મ્યની રચના કરી છે. (૪) શ્રીશિલાદિત્ય રાજાના સમયમાં ધનેશ્વરસૂરિ મહારાજે અનેક પરોપકારક કાર્યાં કરેલાં છે. શિલાદિત્યરાજાએ શ્રીધનેશ્વરસૂરિ મહારાજની આજ્ઞાએ ઉઠાવેલી હતી. શિલાદિત્ય રાજાના સમયમાં સંસ્કૃતવિદ્યાવિન અનેક પડતા હતા. તત્ સમયે માગધીભાષા પ્રાકૃતભાષા પાલીભાષા આદિ ભાષાએ વ્યવહારમાં વિતરૂપને ધારણ કરતી હતી. ધનેશ્વરસૂરિએ અનેક આશયને લક્ષમાં લઈ સસ્કૃતભાષામાં શત્રુજય માહાત્મ્યની રચના કરી હતી. પશ્ચાત્ સંસ્કૃત ભાષા મનુષ્યેાના જીવનવ્યવહારમાં મૃતપ્રાય થઈ ગઈ અને મનુષ્યાને સિદ્ધાચલતીર્થની મહત્તા અવળેાધવાને માટે જીવભાષામાં શત્રુ જયતીર્થને કોઈ ગ્રન્થ નહીં હોવાથી અઢારમા સૈકાના મધ્ય કાલમાં થએલા શ્રીમાન જઈન કે શત્રુંજયતીર્થના ગુજરભાષામાં રાસ રચ્યા અને તેથી ગર્જરભાષા જાણનારા મનુષ્યાને સિદ્ધાચલમાહાત્મ્યનુ સ્વરૂપ જાણવાને ઘણી અનુકૂળતા થઈ. ધનેશ્વરસૂરિરચિત શત્રુંજયમાહાત્મ્યને ગુર્જરભાષામાં શ્રી જનહર્ષે સમ્યક્ર અનુવાદ કર્યાં છે તેમાં તેમણે ધનેશ્વરસૂરિરચિત શત્રુજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy