SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ १२ षोडशकप्रकरणं યુતરક્ષા- એક મહત્ત્વનું કર્તવ્ય જૂના કાળમાં આગમાદિ શ્રુતવારસો મૌખિક રીતે જ અપાતો પાગ કાળક્રમે ઘટતી જતી સ્મૃતિ-વૃતિશક્તિને ધ્યાનમાં લઈને શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમાગના વખતથી શ્રુતનું ગ્રન્થસ્થીકરાણ શરૂ થયું. લહિયાઓ દ્વારા ટકાઉ તાડપત્રો ઉપર આ કાર્ય થતું. શ્રુતલેખન એ શ્રુતભક્તિનું એક મહત્ત્વનું પાસુ બની ગયું. “મુલ્યવરિ' ને શ્રાવકના કર્તવ્યરૂપે નિર્દિષ્ટ કરવામાં આવ્યું. સ્વયં શ્રી હરિભદ્રસૂરિ મ. એ સ્વરચિત શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં યોગબીજો જાગાવ્યા છે, જેમાં શ્રુતલેખનનો પગ સમાવેશ છે. આજે પણ ૩૦૦-૪૦૦ વર્ષો જૂની હસ્તપ્રતો (મહો.જી. લિખિત હસ્તપ્રતો વગેરે) મળે છે. જેસલમેરપાટણ-ખંભાત વગેરે સ્થળોએ આના અલગ વિશાળ જ્ઞાનભંડારો છે. પછી આવ્યો યંત્રયુગ... પ્રેયુગ... લહિયા પાસે કેટલા સમયમાં એક પ્રત તૈયાર થાય તેના કરતા અલ્પતમ સમયમાં જ હારી પ્રતો છપાઈને તૈયાર થઈ જાય ! અધ્યયનાર્થીઓને બધા ગ્રન્થો બધે સુલભ બની શકે, વ્યુતરાના ઉદ્દેશથી આજે કદાચ આને એક અનિવાર્ય અનિટ માની લઈએ તો પાગ જર્જરિત બની રહેલી લેખનકળાને પુનર્જીવિત કરવાની દિશામાં પાગ પ્રયાસો હાથ ધરાય એ ખૂબ જરૂરી છે, કારણ કે સગવડતાવાદી વિજ્ઞાનનો એક મોટો અભિશાપ એ છે કે, તે ઘણી બધી કળાઓનો નાશ કરી દે છે. પ્રેયુગ એ શ્રુતલેખન અને લહિયાઓ માટે મૃત્યુઘંટ પૂરવાર ન થાય એ જોવું કર્તવ્ય બની રહે છે. હા, હસ્તપ્રતો અને છપાયેલા ગ્રન્થોનાં આયખામાં ય ઘાનું અંતર છે. હસ્તપ્રતો સૈકાઓમાં જીવે છે, જ્યારે છપાયેલા ગ્રન્થો દાયકાઓમાં ! આવરદાનો આ તફાવત પણ શ્રુતરક્ષાર્થે હસ્તલેખનને ફરી ધબકતું કરવા પ્રેરણાદાયી બની રહેશે. કલ્યાણકન્ટલી અને કલ્યાણકદલીકા૨ નવનિર્મિત ટીકામાં ઉડીને આંખે વળગે એવી ત્રાગ વિશેષતાઓ મને જાગાઈ. (૧) ભરચક (૫૦૦ થી વધુ શાસ્ત્રોના ૩૨૦૦ થી વધુ શાસ્ત્રપાઠો) શાસ્ત્ર સંદભ ટાંકવાપૂર્વક સ્વકીયવક્તવ્ય પ્રતિપાદન (૨) ભરપૂર પદાર્થગ્રહણ (૩) ખૂબ જ રસાળ, પ્રૌઢ અને તર્કપુરસ્કાર રજુઆત શૈલી. કેટલાક સ્થાનોએ મહોપાધ્યાયજીના ભાષાસંક્ષેપના તાળા ખોલીને અસંક્ષિપ્ત પદાર્થો વ્હાર કાઢયા છે તો કેટલાક સ્થાને મૂળની એકાદ પંક્તિના આધારે સ્વકીય મીમાંસા પાગ કરી છે. કેટલાક સ્થાનવિશેષોના અતિદેશ કરી દઉં : : બાલ-મધ્યમ-બુધ જીવોના, ૩-૩ લક્ષણો, ૦ કુશીલનું સ્વરૂપ, ૦ દેશકાલાનુરૂપ દેશના પ્રદાનની છણાવટ, ૦ સમરસપત્તિનું વિસ્તૃત નિરૂપાગ, ૦ ૧૪નપ્રિયત્વ ગુણનું સુંદર મૂલ્યાંકન, ૦ દષ્ટિસંમોહ દોષની રાંમોહક રામજોગ, કાલ સ્વતંત્ર દ્રવ્ય છે કે નહીં તેની વિચારાગા, ૦ શ્રમાગોની પ્રાચીન વસતિ-વ્યવસ્થાની વિચારણા ૦ કાર અને મત્વનું સ્વરૂપ, દ્રવ્યપૂજામાં નિરવધતાની સ્થાપના, ૦ અયોગ્ય દીક્ષાને વસન્તરાજની જે ઉપમા અપાઈ છે તેનું સુંદર સ્પષ્ટીકરાગ, ૦ થાનસ્વરૂપની મીમાંસા, ૦ યોગભ્રષ્ટત્વનું સ્વરૂપ, ૯ સંવિગ્નપાક્ષિક વ્યવસ્થાનું રહસ્ય, ૦ સ્વાભાવિક સુખસ્વરૂપનું પ્રકાશન, દ તથાભવ્યત્વમીમાંસા – જ્ઞાન-ક્રિયાનયમતનો વિચાર, ગ્રન્થવિષયનો વાસ્તવિક પરિચય વિસ્તૃત વિષયમાર્ગદર્શિકા દ્વારા થઈ શકશે. તીવ્ર ક્ષયોપશમ, વિશાળ વાંચન, અપૂર્વ ગુરૂકૃપા અને સખત પુરૂષાર્થ, બધા જ પરિબળો કેટલા પાવરધા હશે કે પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મ.સા. દ્વારા પોતાના દીકરા જીવનની માત્ર ૧૨ મે વર્ષે જ આવી દળદાર રચના થઈ રહી છે. આ પૂર્વે પાણ ભાષારહસ્ય-ચાદરહસ્યવાદમાલા-ન્યાયાલોક જેવા કઠિન ગ્રન્થો ઉપર હજારો શ્લોક પ્રમાણ ટીકાઓનું નિર્માણ તેઓ કરી ચૂક્યા છે. "History repeats itself" (ઈતિહાસ સ્વતઃ પુનરાવર્તનશીલ છે) આ ઉક્તિને સાચી માની લઈએ તો ‘નાગ સૈકા બાદ એક નવા મહોપાધ્યાયજી જૈન સંઘને મળી રહ્યા છે'- એવું માની શકાય ખરૂં. તેમની દીક્ષા વખતે નામન્યારત કરનાર દીક્ષાગુરૂ અત્યંત પુરોદર્શી હતા કે પછી થયેલા નામન્યાસની નીપજ રૂપે આવા ગ્રન્થો એક પછી એક સર્જાતા જાય છે ? એ બાબતમાં વિનિગમનાવિરહ ગાવાથી ઉભયને કારાગ માની લેવામાં જ સલામતિ છે. અત્યંત બહુશ્રુત વિદ્વાનોની પંક્તિમાં બહુ નાની ઉંમરમાં બેસી શકે તેવી કક્ષાને પ્રાપ્ત કરી ચૂકેલા આ મુનિરાજશ્રી દ્વારા હજી આવા અનેક ગ્રન્થરત્નો આલેખાશે એવી ૧. જુઓ ભાગ-૨, પરિશિષ્ટ-૪ | ૨. જુઓ ભાગ-૨, પરિશિષ્ટ-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy